નડિયાદ પોલીસનું ટ્રાફિક અભિયાન જારીઃ વધુ ૧૮ વાહનો ડીટેઇન

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસ નું ટ્રાફિક અભિયાન છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહ્યું છે આજે પણ ખુદ ટાઉન પીઆઇ ટ્રાફિક ના નિયમો ભંગ કરનાર વાહન ચાલકોને દંડવા મેદાનમાં ઉતરી ગયા હતા
તેમ જ બસ સ્ટેન્ડ થી સંતરામપુર આવેલ વર્ગો કોમ્પલેસના વેપારીઓ રોડ પર વાહનો મુકતા હોય આ વેપારીઓએ એને સમજાવ્યા હતા અને જો તેમ છતાં આ વેપારીઓ નહીં માને તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસે જણાવ્યું હતું આજે ૧૮ વાહનો ડીટેઈન કર્યા છે તેમજ ?૮,૨૦૦ નો દંડ પણ વસૂલ કર્યો છે.
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રાફિકને લઈને એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ભરવાડ તથા સ્ટાફ અને ટ્રાફિકના જવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી સંતરામ રોડ સુધી તેમજ રેલવે સ્ટેશનથી સદાર ભવન સુધી વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું
જેમાં ટુ-વ્હીલરોને નંબર પ્લેટ ના હોય અને તૂટી ગયેલ નંબર પ્લેટ હોય તેવા અને નો ર્પાકિંગમાં ર્પાકિંગ કરેલા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો જેમાં રૂ ૮૨૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૧૮ જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી ભરવાડે જણાવ્યું હતું કે આજે સંતરામ રોડથી લઈને સરદાર ભવન સુધીના માર્ગ પર નો ર્પાકિંગમાં મુકેલા વાહનોને
તેમજ ટ્રાફિક ના નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ તેઓને સમજાવવામાં આવ્યા હતા આ ઉપરાંત વર્ગો કોમ્પલેસના વ્યાપારીઓને સમજાવ્યા હતા વર્ગો કોમ્પલેક્ષમાં નીચે મોટું ર્પાકિંગ હોવા છતાં આ વાહનો તેઓ રોડની સાઈડ પર મૂકી અડચણરૂપ થાય તેવા વાહનો મુકતા હોય ટ્રાફિકની સમસ્યા વધી રહી છે
જેથી આ વેપારીઓને સમજાવીને તેમના વાહનો કોમ્પલેટના ર્પાકિંગમાં મૂકવા જણાવ્યું હતું. પોલીસની સમજાવતી વેપારીઓએ પણ હવે પછી પોતાના વાહનો ર્પાકિંગમાં મૂકવા તૈયારી બતાવી હતી ટ્રાફિક અભિયાનમાં પ્રજાનો સહકાર પણ મળતો હોવાનું પીઆઇએ જણાવ્યું હતું તેમજ જાગૃત પ્રજાએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.