નડિયાદ: પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના છ વર્ષ પહેલા તૂટેલી હાલતના મકાનો બાબતે કોંગ્રેસની રજૂઆત

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આવેલ પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના અમુક મકાનો છ વર્ષ પહેલા પડી ગયા હતા તે વખતે સરકારે તમામ મકાનો ખાલી કરાવ્યા હતા અને ટૂંક સમયમાં જ અહીંના લોકોને મકાનો મળશે તેવું વચન આપ્યું હતું પરંતુ ૬ વર્ષ થયા છતાં પણ હજુ સુધી આ લોકોને મકાન મળ્યા નથી જેથી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મારફતે રજૂઆત કરાવી છે જેના પગલે ખૂબ સમયમાં કામ ચાલુ થાય તેવી શક્યતા કહેવાય છે.
નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે મીડિયા ને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૭૦ના દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ પ્રગતિનગરમાં ઓછી આવક ધરાવતા ૯૦૦ જેટલા ગરીબ પરિવારો માટે એલ. આઈ. જી. સ્કીમ હેઠળ ત્રણ માળીયા મકાનો બનાવ્યા હતા.
ચાલીસથી પચાસ વર્ષ જુના મકાનનો કેટલોક જર્જરિત ભાગ આજથી અંદાજે છ વર્ષ પહેલા તા. ૯ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ચોમાસાની સિઝનમાં એકાએક તૂટી પડતાં બહુ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક માસુમ બાળકી સહિત ચાર વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા. જે તે સમયે તેના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
રાજ્ય સરકારે અસરગ્રસ્ત લોકોના રોષને શાંત પાડવા તાબડતોબ બાંધકામ એન્જીનીયરોનો અભિપ્રાય મેળવી ચાલીસથી પચાસ વર્ષ જુના આ ત્રણ માળીયા મકાનો અત્યંત જર્જરિત – ભયજનક અને રહેવાલાયક સ્થિતિમાં રહ્યા ના હોઇ પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં તમામ ગરીબ પરિવારોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવા બળજબરીપૂર્વક રાતોરાત મકાનો ખાલી કારવ્ય હતા
અને બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને પુનર્વસવાટ માટે ઝડપથી નવા મકાન બનાવી આપવાનુ આસ્વાસન આપ્યું હતું. તેથી પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં તમામ ગરીબ પરિવારોએ રાજ્ય સરકાર ઉપર ભરોસો રાખીને મને-કમને મકાનો ખાલી કરી આપ્યા હતા.
પરંતુ રાજ્ય સરકારે પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં ગરીબ પરિવારોને નવા મકાન બનાવી આપવાનું આસ્વાસન આપ્યાને અંદાજે છ વર્ષ પૂરા થવા આવ્યા છે છતાં રાજ્ય સરકારે આજદિન સુધી પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના અસરગ્રસ્ત ગરીબ પરિવારોના પુનર્વસવાટ માટે નવા મકાન બનાવવા અંગે કોઈ ઠોસ પ્રક્રિયા હાથ ધરેલ હોય તેમ અસરગ્રસ્ત પરિવારોને જણાતું ન હતું.
તેથી અસરગ્રસ્ત તમામ પરિવારોનો રાજ્ય સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો હતો અને આવી કારમી મોંઘવારીમાં રાજ્ય સરકારના ભરોસે ઘરનું ઘર ગુમાવ્યાનો અને રાજ્ય સરકારે વિસ્વાસઘાત કર્યો હોવાનો એહસાસ વ્યક્ત કરતા આવા લોકોએ નડિયાદ શહેર કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો જેથી અમોએ પ્રદેશ કોંગ્રેસ મારફતે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર અને મુખ્યમંત્રી સુધી અસરકારક રજૂઆતો કરી છેતેના પરિણામ સ્વરૂપે રીડેવલોપમેન્ટ પોલિસી – ૨૦૧૬ હેઠળ
પ્રગતિનાગર હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલોપમેન્ટ માટેના બારમાં પ્રયત્નના ટેન્ડર હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડની દરખાસ્તને સ્ટેટ લેવલ સ્ક્રીનીંગ કમિટી દ્વારા ૩૦૦ + ૬૦૦ = ૯૦૦ એલ. આઈ. જી. પ્રગતિનગર – પુનેશ્વર – નડિયાદ રીડેવલોપમેન્ટ યોજનાના નેગેટિવ પ્રીમિયમ રકમ તાબ્દીલપત્ર વિકાસના હક્કોના બદલે નાના સ્વરૂપે ચૂકવવા અંગેની બાબતને રાજ્ય સરકારની મંજૂરી મળ્યેથી તથા રાજ્ય સરકારના નિયમ મુજબ પ્રગતિનગર – પુનેશ્વર રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટની ટેકનિકલ ચકાસણીને આધીન રહીને વહીવટી મંજૂરી આપવછેજેથી હવે ટૂંક સમય માં કામ ચાલુ થશે તેવું કોંગ્રેસને લાગે છે.