Western Times News

Gujarati News

નડીઆદ રેલવે સ્ટાફને સન્માનિત કરાયો

નડીઆદ, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના નડિયાદ સ્ટેશન ઉપર વાહનવ્યવહાર નિરીક્ષક પ્રવીણ વણકર અને સ્ટેશન મેનેજર આર.કે. મિત્તલ એ ઉમદા માનવીય પહેલ કરતાં સર્વોદય એક્સપ્રેસના ટ્રેન મેનેજર (ગાર્ડ) એચ.કે.ગુપ્તાને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક તબીબી સહાયતા ઉપલબ્ધ કરાવી જેનાથી સમયસર તબીબી સહાયતા મળવાથી તેમનો જીવ બચાવી શકાયો. સિનિયર મંડળ પરિચાલન મેનેજર શ્રી નરેન્દ્ર કુમાર એ જણાવ્યું કે ૧૮ માર્ચ, ૨૦૨૩ ના રોજ ટ્રેન નંબર ૧૨૪૭૩ ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસથી કાર્યરત ગુપ્તા નડિયાદ સ્ટેશન ઉપર ટ્રેનથી પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ દરમિયાન વાહનવ્યવહાર નિરીક્ષક પ્રવીણ વણકર એ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને સિવિલ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર અપાવીને કરમસદની મેડિકલ કોલેજ કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવ્યા. આ દરમિયાન મિત્તલએ ટ્રેન મેનેજરના રૂપે ગોધરા સુધી કામ પણ કર્યું. મંડળ પ્રશાસન દ્વારા રેલવે સ્ટાફની તાત્કાલિક કાર્યવાહી તેમજ ઉમદા માનવીય પહેલની પ્રશંસા કરતાં તેમને સમ્માનિત કરવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.