Western Times News

Gujarati News

નવાઝુદ્દીન સિદીકી કોસ્ટારિકામાં મગરોથી ભરેલા તળાવમાં તર્યા

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે બોલિવૂડમાં ઘણા મહાન પાત્રો ભજવ્યા હતા, હવે તેમની ફિલ્મ કોસ્ટાઓ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તેમની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ઉદ્યોગના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ કોસ્ટાઓ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

નવાઝુદ્દીનની ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના દિગ્દર્શક સેઝલ શાહે જણાવ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મના બધા સ્ટંટ પોતે કર્યા છે. આ ફિલ્મ માટે, તે પોતે મગરોથી ભરેલા તળાવમાં તર્યાે હતો.

એક અહેવાલ મુજબ, દિગ્દર્શક સેઝલ શાહે ખુલાસો કર્યાે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતે ફિલ્મ માટે સ્ટંટ કર્યા હતા. દિગ્દર્શકે જણાવ્યું કે કોસ્ટાઓ માટે, નવાઝુદ્દીન સિદ્દીકી પોતે મગરોથી ભરેલા તળાવમાં તર્યા હતા.

તેમણે કહ્યું કે ફિલ્મની ટીમ ઇચ્છતી હતી કે ફિલ્મમાં બધી જ એક્શન વાસ્તવિક અને સાચી દેખાય, આ માટે નવાઝુદ્દીન સિદ્દીકી સહિત તમામ કલાકારોએ ખૂબ મહેનત કરી છે.

આ ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ કેટલાક અઠવાડિયા સુધી બોક્સિંગ અને દોડવાની તાલીમ લીધી.મગરોથી ભરેલા તળાવમાં તરવા અંગે સેજલે કહ્યું કે તે (નવાઝુદ્દીન સિદ્દીકી) તાલીમ પામેલો તરવૈયો નથી છતાં તેણે સ્ટંટ જાતે કરવાની ઓફર કરી. સેઝલે કહ્યું, નવાઝુદ્દીન હંમેશા મુશ્કેલ દ્રશ્યો લેતો હતો. ફિલ્મમાં એક ક્ષણ એવી છે જ્યાં તેને તળાવમાં કૂદવાનું હોય છે, પરંતુ તળાવમાં મગર હતા.દિગ્દર્શકના મતે, નવાઝુદ્દીન સિદ્દીકીએ હાઇ-સ્પીડ બાઇક ચેઝિંગ સીનમાં પોતે પણ એક્શન કર્યું છે.

બાઇકની બ્રેક પણ ફેલ થઈ ગઈ, પરંતુ અભિનેતા પોતાનો શોટ મેળવવા માટે પાત્રમાંથી બહાર ન આવ્યો. કોસ્ટાઓ વિશે વાત કરીએ તો, આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હશે. આ ફિલ્મ ૧ મેના રોજ રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.