Western Times News

Gujarati News

ભારત-ચીન વચ્ચેના તણાવમાં નોંધપાત્ર ઘટાડો થયોઃ રશિયાના વિદેશ મંત્રી

AI Image

(એજન્સી)મોસ્કો, ભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લા ઘણા સમયથી તણાવ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ માટે વાતચીત પણ ચાલુ છે જેને પગલે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ફરીથી ત્રણેય દેશો અટકેલા કાર્યાેને પાટા પર લાવવા પ્રયાસ કરશે તેવી આશા વ્યક્તકરી હતી.

રશિયા, ભારત અને ચીન (રિક)ની ત્રિપૂટી આ માટે બહુ-ધ્›વીય સ્થાપત્યોના રચના કરવા માટે રિક ફોરમેટમાં ફરીથી સક્રિય રીતે કામગીરી શરૂ કરે તે પેન-યુરેશિયન પ્રક્રિયાની દિશામાં સૌપ્રથમ પગલું રહેશે તેમ લાવરોવે ફોરમ ઓફ ધ ફોર્ચ્યુન-૨૦૫૦ને સંબોધતા જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી ત્રણેય દેશો વચ્ચે વિદેશ મંત્રીના સ્તરની બેઠક યોજાઈ નથી. પરંતુ રશિયા ચીનના સમકક્ષ ઉપરાંત ભારતના વિદેશી બાબતોના વિભાગના વડા સાથે સતત સંપર્કમાં છે. આશા છે કે રશિયા-ભારત-ચીનની ત્રિપૂટી ફરી સાથે મળીને અટવાયેલા કામો પુનઃ શરૂ કરે. મારા મતે ભારત-ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો થયો છે અને તે નોંધપાત્ર રીતે ઓછો થયો છે.

દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વાટાઘાટ થકી સરહદ પર સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ જ કારણથી રિક દેશો ફરીથી અટવાયેલા કામોને પાટા પર લાવે તે જરૂરી છે તેમ રશિયન સરકારની સમાચાર એજન્સી ટાસ સાથેની વાતચીતમાં લાવરોવે જણાવ્યું હતું.

એશિયા-યુરોપ ખંડના આ મહત્વના દેશો બહુ-ધ્›વીય સ્થાપ્યોની કામગીરી પર વાતચીત કરી શકે છે. આના માટે રશિયા અને ચીને અગ્રણી તથા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેવું રશિયાના વિદેશ મંત્રીનું માનવું છે. આ દિશામાં (રિક) ફોરમેટ સૌપ્રથમ પગલું રહેશે. ટેસ્લાના અબજોપતિ સીઈઓ એલન મસ્કના પિતા એરોલ મસ્કે પણ ફોરમમાં હાજરી આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.