RC ટેક્નિકલ, અમદાવાદ ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાશે

પ્રતિકાત્મક
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ સમજ
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદની નોડલ સંસ્થા, આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (RCTI) દ્વારા ધોરણ-૧૦ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અને C2D (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) દ્વારા સીધા બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક વિશેષ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૩ જૂન, ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સેમિનાર હોલ, એનેક્સી બિલ્ડિંગ, આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે આ સેમિનાર યોજાનાર છે.
આ સેમિનારનો મુખ્ય હેતુ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના ક્રમિક પગથિયાં વિશે વિગતવાર સમજ આપવાનો અને તે દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો છે.
આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના તજ્જ્ઞ અને અનુભવી અધિકારીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાથી લઈને કોલેજ પસંદગી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પર પ્રકાશ પાડવામાં આવશે અને ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે.
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ અમૂલ્ય તકનો લાભ લઇ શકે છે.
આયોજકો દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ માર્ગદર્શક સેમિનારમાં ઉપસ્થિત રહી પ્રવેશ પ્રક્રિયા અંગેની મૂંઝવણો દૂર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્નાતક કક્ષા:
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કાના તૃતીય રાઉન્ડમાં પ્રવેશ તા.૦૯.૦૬.૨૦૨૫ના રોજ પૂર્ણ થયા છે. જયારે પ્રવેશનો ચોથો રાઉન્ડ તા.૧૧.૦૬.૨૦૨૫થી શરૂ થનાર છે. પ્રથમ તબક્કાના તૃતીય રાઉન્ડને અંતે યુનિવર્સિટીઓમાં થયેલ પ્રવેશની વિગતો નીચે મુજબ છે:
પ્રથમ તબક્કાના તૃતીય રાઉન્ડને અંતે પ્રવેશની વિગતો
ક્રમ | યુનિવર્સિટીનું નામ | યુનિવર્સિટી–કોલેજ દ્વારા પ્રવેશની ઓફર્સ પૈકી કોઈ પણ એક ઓફર સામે પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા (તૃતીય રાઉન્ડને અંતે) |
૧ | ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી | ૭૦૮૦ |
૨ | ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી | ૧૨૩૭ |
૩ | ગુજરાત યુનિવર્સિટી | ૧૨૯૪૨ |
૪ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી | ૧૪૮૮૮ |
૫ | ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન | ૧૨૩ |
૬ | ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી | ૪૦૨૦ |
૭ | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી | ૪૪૮૪ |
૮ | સરદાર પટેલ યુનિવર્સિટી | ૫૮૭૪ |
૯ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી | ૨૦૨૯૬ |
૧૦ | શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી | ૩૩ |
૧૧ | શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી | ૫૮૭૦ |
૧૨ | ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા | ૯૧૮૨ |
૧૩ | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી | ૨૭૩૬૨ |
કુલ | ૧૧૩૩૮૯ |
- પ્રથમ તબક્કાના ત્રીજા રાઉન્ડમાં યુનિવર્સિટીઓ–કોલેજોમાં દ્વારા પ્રથમ તબક્કામાં વેરીફાઈ થયેલ કુલ ૨,૧૦,૩૫૮ વિદ્યાર્થીઓને ઓફર્સ આપવામાં આવી હતી જેની સામે તૃતીય રાઉન્ડને અંતે તા.૦૯.૦૬.૨૦૨૫ના સુધીમાં કુલ ૧,૧૩,૩૮૯ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કોઇપણ યુનિવર્સિટી–કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ છે.
- જે મુજબ પોર્ટલ પર રજીસ્ટર્ડ કુલ ૨,૧૦,૩૫૮ વિદ્યાર્થીઓ માંથી કુલ ૧,૧૩,૩૮૯ એટલે કે ૫૩.૯૦% વિદ્યાર્થીઓએ પોર્ટલ મારફત તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવી લીધેલ છે.
- વધુમાં, GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને કટ-ઓફ માર્કસની જાણકારી મેળવી શકે છે. આ માટે, વિદ્યાર્થીઓ પોર્ટલ પર લૉગ-ઇન કરી ડેશબોર્ડ પેજ પર દર્શિત કટ-ઓફ ટેબમાં જઈ તેમણે પસંદ કરેલ કોલેજ – પ્રોગ્રામ મુજબ સંબંધિત રાઉન્ડને અંતે જાહેર થતાં કટ-ઓફ માર્કસ પણ જોઈ શકે છે. જે GCAS પોર્ટલ મારફત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી બાબતે પારદર્શિતા જાળવવાનો હેતુ સરકારશ્રીના પ્રયત્નોને સુનિશ્ચિત કરે છે.