Western Times News

Gujarati News

ચાર ટ્રેનોને મણિનગર સ્ટેશન પર સ્ટોપજ આપવામાં આવ્યું

અમદાવાદ થઈને જતી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે.

પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – દરભંગા, અમદાવાદ – વારાણસી સાબરમતી એક્સપ્રેસ તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને મણિનગર સ્ટેશન પર સ્ટોપજ આપવામાં આવ્યું તે ઉપરાંત અમદાવાદ – પટના સ્પેશિયલનું નાગદા સ્ટેશન પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું. જેની વિગતો નીચે મુજબ છે:-

·         ટ્રેન નંબર 09167 અમદાવાદ – વારાણસી સાબરમતી સ્પેશિયલનું 28 જાન્યુઆરી, 2021થી મણિનગર તથા સોહવાલ સ્ટેશનો પર સ્ટોપજ આપવામાં આવ્યું છે. તે તારીખથી આ ટ્રેનના શાજાપુર, સારંગપુર, વિજયપુર, પીપરાયગાવ, ધાઉરા, જાખલોન, બબીના, ચિરગાવ, મોઢ, એટ જં., પોખરાયણ, લાલપુર, તથા ભીમસેન સ્ટેશનો પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું છે.

·         તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 02933 મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સ્પેશિયલ મણિનગર પર રોકશે.

·         તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 09165 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલનું શાજાપુર, સારંગપુર, વિજયપુર, પીપરાયગાવ, ધાઉરા, જાખલોન, બબીના, ચિરગાવ સ્ટેશનો પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવી રહ્યું છે.

·         તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ નગદા સ્ટેશન પર રોકશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.