Western Times News

Gujarati News

ઓરિસ્સામાં વાન પલ્ટી જતાં નવ લોકોના મોત નિપજયાં

ભુવનેશ્વર, ઓરિસ્સામાં કોરોપુટ જીલ્લાના કોટપુતમાં એક વાન પલ્ટી જવાથી નવ લોકોના મોત નિપજયા હતાં આ સાથે જ આ દુર્ધટનામાં ૧૩ લોકોને ઇજા પણ થઇ હતી કોરાપુટના ડીએમ મધુસુદન મિશ્રાએ કહ્યું કે યાત્રી ઓરિસ્સાના સિંધિગુડા ગામથી છત્તીસગઢના કુલ્ટા ગામ તરફ જઇ રહ્યા હતાં ઇજા પામેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી આ તમામ લોકો ઓરિસ્સાથી છત્તીસગઢ જઇ રહ્યાં હતાં રસ્તામાં તેમની કાર અનિયંત્રિત થઇ ઝાડ સાથે અથડાઇ હતી જેને કારણે આટલી મોટુ દુર્ઘટના સર્જાઇ હતી ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી.

દરમિયાન મહારાષ્ટ્રના સતરા જીલ્લાના કરાડની પાસે બે વાહન સામસામે અથડાતા ત્રણ લોકોના મોત નિપજયા હતાં આ ઘટનામાં આઠ લોકોને ઇજા થઇ હતી પોલીસે કહ્યું કે મૃતકોમાં ઓળખ પુણેના પહલવાન તરીકે કરવામાં આવી હતી અને તેઓ કોલ્હાપુરથી કારમાં પાછા ફરી રહ્યાં હતાં ઇજા પામેલાઓની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.