Western Times News

Gujarati News

અમને એ નંબર આપો જેના પર કોલ કરવાથી સરકાર વાત કરવા તૈયાર હોયઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પણ આંદોલનનુ કોઈ સમાધન દેખાઈ રહ્યુ નથી.

પીએમ મોદીએ સંસદના બજેટ સત્રની શરુઆત પહેલાની બેઠકમાં કહ્યુ હતુ કે, ખેડૂતો વાતચીત કરવા માટે ગમે ત્યારે આવી શકે છે.તેમણે માત્ર એક ફોન નંબર જ ડાયલ કરવાનો છે.જોકે હવે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આ નિવેદન પર નિશાન સાધ્યુ છે.

ટિકૈતનુ કહેવુ છે કે, અમને એ ફોન નંબર આપો , અમ તો તરત ફોન લગાવવા માટે તૈયાર છે.અમારા ફોન પર તો લોકો ગાળો આપે છે.આવામાં જો પીએમ કોઈ ફોન કોલની વાત કરી રહ્યા હોય તો એ નંબર અમને આપો.ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનકારીઓ જ્યાં ધરણા કરી રહ્યા છે તેનાથી થોડીનજીક રસ્તાઓ પર ખીલીઓ લગાવાઈ રહી છે.જોકે તેનાથી જનતાને જ પરેશાની થવાની છે.કારણકે ખેડૂતો તો હવે દિલ્હી જવાના નથી , એવામાં ખીલીઓ લગાવવાની જરુર નથી.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ તો 6 ફેબ્રુઆરીએ આખા દેશમાં ચક્કાજામની જાહેરાત કરી છે.બીજી તરફ રાજ્યસભામાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો તોફાની બન્યો છે અને તેના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવાની પણ જાહેરાત આજે સવારે કરવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.