Western Times News

Gujarati News

પતિ વારંવાર ત્રાસ આપતા મહિલાએ આત્મહત્યા કરી

Files Photo

અમદાવાદ, અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે મૃતકના પિતાએ તેના જમાઈ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ભદ્ર વિસ્તારમાં ખાસ બજાર ખાતે રહેતા શોકતખાન મોહંમદખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની મોટી દીકરી ગઝાલાબાનુના લગ્ન ૧૦ વર્ષ પહેલા એઝાઝખાન ગુલબાઝખાન પઠાણ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. તેના લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે બાળકો થયા હતા. લગ્ન બાદ વાર-તહેવારે પિયરમાં આવતી ગઝાલાબાનુ તેની માતાને કહેતી હતી કે તેને તેના પતિ દ્રારા નાની નાની બાબતોમાં મ્હેણા-ટોંણા મારી પરેશાન કરવામાં આવે છે. ‘તારા માતાપિતાએ તને કોઈ કામ શીખવ્યું નથી, તેવા ટોંણા મારી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.

ગઈ તારીખ ૨૫ જાન્યુઆરીના રોજ બપોરે ગઝાલાબાનુ તેમના પિતાના ઘરે આવી હતી અને કહ્યું હતું કે તેના પતિ તેને હેરાન કરે છે. તેઓ કહે છે કે, મારે ધંધો કરવો છે. તું તારા પિતાના ઘરેથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે અને જાે રૂપિયા લાવવા ન હોય તો ત્યાં જ મરી જજે. આમ કહી પૈસા માટે દબાણ કર્યું હોવાની વાત કરી હતી. જેથી તેના પિતાએ તેનો ઘર સંસાર બગડે નહીં તે માટે સમજાવીને સાસરીમાં મોકલી આપી હતી. દરમિયાન ગત ૨૭ જાન્યુઆરીના રોજ ગઝાલાબાનુએ તેની સાસરીમાં અનાજમાં નાખવાની ગોળીઓ ખાતા તેનું મોત નિપજયું હતું. જેથી તેના પિતાએ જમાઈ એઝાઝખાન વિરુદ્દ દુષ્પ્રેરણાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલા શહેરના મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિએ તેને કહ્યું હતું કે, તું મારા ઘરમાં જાેઈએ જ નહીં તેમ કહી મને ઘરમાંથી કાઢી મૂકી હતી. કડવાં વેણથી કંટાળીને હું ઉંદર મારવાની દવા પણ ગટગટાવી ગઈ હતી. મહિલા પોલીસ મથકમાં પરિણીતાના પતિ નિલેશભાઈ સાસુ ભારતીબેન સસરા ધનજીભાઈ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.