Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનમાં બચતનાં નામે “ઝીરો બેલેન્સ“: રૂા.૪૨૫ કરોડની ફિક્સ ડિપોઝીટ પણ વપરાઈ ગઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનની તિજાેરી પર કોરોના કહેરની અસર જાેવા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનમાં આર્થિક ભીંસ વધી રહી છે. જેના કારણે, કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ પણ અટવાયા છે. રાજ્ય સરકાર તરફથી છેલ્લા છ મહિનામાં મનપાને કોઈ રકમ આપવામાં આવી ન હોવાથી તિજાેરી ખાલી થઈ રહી છે. જેની અસર પ્રજાકીય કામો અને કોન્ટ્રાક્ટર પેમેન્ટ પર જાેવા મળી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોરોનાકાળમાં મ્યુનિ.કોર્પાેરેશની બધી ફીક્ઝ ડીપોઝીટ પણ વપરાઈ ગઈ છે.

કોરોના અને લોકડાઉનના કારણે વૈશ્વિક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ખાનગી ઉદ્યોગ-ધંધાઓની સાથે સાથે સરકારી સંસ્થાઓમાં પણ મંદીની અસર જાેવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન પણ આ મંદીની ઝપટમાં આવી ગયું છે. જેના કારણે ચૂંટણીના વર્ષમાં પણ પહેલા વિકાસના કામો પર બ્રેક મારવામાં આવી છે. જ્યારે છેલ્લા બે મહિનાથી પેમેન્ટ પર બ્રેક વાગી ગઈ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશન છેલ્લા એક દાયકાથી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ પર ર્નિભર છે. સરકાર દ્વારા દર વર્ષે સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે રૂા.૬૫૦ કરોડ જેટલી રકમ આપવામાં આવે છે. જેમાંથી વિકાસ અને પ્રજાકીય કામો થાય છે. પરંતુ ચાલુ વરસે સરકાર તરફથી ગ્રાન્ટ પેટે મોટી રકમ આપવામાં આવી નથી. જુન મહિનામાં સ્વર્ણિમ અંતર્ગત રૂા.૪૫૦ કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ આ રકમ “કોરોના”માં ખર્ચ થઈ ચૂક્યા છે.

મ્યુનિ.કોર્પોરેશને કોરોના માટે રૂા.૫૭૦ કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યા છે. જેની સામે સરકાર દ્વારા રૂા.૨૧૪ કરોડ જ પરત આપવામાં આવ્યા છે. આમ, સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ લગભગ કોરોના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ છે. મિલ્કતવેરાની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે. આમ, આવકના સ્ત્રોત ઓછા થવાના કારણે મનપામાં આર્થિક કટોકટી જાેવા મળી રહી છે. રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત મ્યુનિ.કોર્પારેશને પ્રોપર્ટી ટેક્ષ પેટે ૨૦ ટકા વળતર આપ્યંુ હતું. જે પેટે રૂા.૮૫ કરોડ સરકારવતી મનપાએ ચૂકવ્યાં છે. સદર રકમ હજુ સુધી મનપાને પરત મળી નથી. જ્યારે સરકારની ૭૦ઃ૨૦ઃ૧૦ યોજના અંતર્ગત સરકાર પાસેથી રૂા.૧૪૫ કરોડ લેવાના બાકી નીકળે છે જે છેલ્લાં એક વર્ષથી નીકળ્યા નથી. તદુપરાંત એજ્યુકેશન શેષ પેટેના રૂા.૬૫ કરોડ પણ સરકાર તરફથી મળ્યા નથી. મ્યુનિ.કોર્પાેરેશનને આ તમામ બાકી નીકળતાં નાણાં રૂા.૨૯૦ કરોડ માટે સરકારને પત્ર લખ્યો છે. પરંતુ હજી સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. નોંધનીય બાબત એ છે કે, ૭૦ઃ૨૦ઃ૧૦ યોજનાના બાકી કામો માટે રાજ્ય સરકારે રૂા.૭૧ કરોડ મંજૂર કર્યા હોવાનો પત્ર મ્યુનિ.કોર્પાેરેશનને મોકલી આપ્યો છે. પરંતુ મનપાને આ નાણાં પણ મળ્યા નથી.

મ્યુનિ.કોર્પાેરેશનમાં આવકનાં સ્ત્રોત ઘટી રહ્યાં છે જ્યારે સરકાર તરફથી છેલ્લાં એક વર્ષ દરમ્યાન કોઈ મોટી સહાય મળી નથી. જેનાં કારણે મનપાની તિજાેરી તળિયા ઝાટક થઈ ગઈ છે. અને પેમેન્ટ અટવાયાં છે. સૂત્રોએ જણાવ્યાં મુજબ કોન્ટ્રાક્ટરોને રૂા.૩૦૦ કરોડનાં પેમેન્ટ કરવાનાં બાકી છે.
પરંતુ નાણાંના અભાવે પેમેન્ટ થઈ શક્યા નથી. પરંતુ આ તમામ પેમેન્ટ સરકારની ગ્રાન્ટ અથવા કોરોનાપેટે ખર્ચ કરવામાં આવેલા નાણાંનાં રિફંડ પર ર્નિભર રહેશે. મ્યુનિ.કોર્પોરેશન તરફથી સમયસર પેમેન્ટ થતા ન હોવાના કારણે કામોની ઝડપ પર બ્રેક વાગી છે. જાણકારોનું માનીએ તો દિવાળી બાદ જ પણ સરકાર તરફથી કોઈ સહાય મળી ન હોવાથી તો ચૂંટણી સમયે “વિકાસ”ના કામો માટે ફીકસ્ડ ડીપોઝીટ તોડવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશન પાસે છેલ્લાં વાર્ષિક અહેવાલ મુજબ રૂા.૪૨૫ કરોડની ફિક્સ ડિપોઝીટ અલગ અલગ બેન્કોમાં હતી. કોરોનાકાળ દરમિયાન સરકારવતી નાગરીકોની સારવાર માટે તેમજ ચૂંટણી પહેલાં વિકાસનાં કામો કરવાના હોવાથી તમામ ડિપોઝીટ વાપરી નાંખવામાં આવી છે. તેમજ હાલ મ્યુનિ.કોર્પાેરેશન પાસે ફિક્ઝ ડિપોઝીટ કે બચતનાં નામે ઝીરો બેલેન્સ છે. રાજ્ય સરકાર તરફથી ઓક્ટ્રોય અવેજ પેટે દર મહિને રૂા.૮૭ કરોડની ગ્રાન્ટ મળે છે. જેની સામે પેન્શન અને પગાર પાછળ રૂા.૮૫ કરોડનો ખર્ચ થાય છે. આમ, મ્યુનિ.કોર્પાેરેશનની નાણાંકીય સ્થિતિ અત્યંત ખરાબ થઈ હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કોર્પોરેશન નાણાંકીય ભીડના કારણે બજેટના કામો પર રોક લગાવી છે. પૂર્વ મ્યુનિ.કમિશનરે જે “સ્માર્ટ જુમલા” બજેટ રજૂ કર્યું હતું. તેમાંથી “જુમલા” દૂર કરવામાં આવ્યાં છે. મોડેલ રોડ પ્રોજેક્ટને અભરાઈએ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત ૩૦૦ ઈલેક્ટ્રીક બસના વિવાદાસ્પદ ઓર્ડરને પણ રદ કરવામાં આવ્યો છે. તદુપરાંત સ્માર્ટસીટીના પણ કેટલાંક પ્રોજેક્ટ હાલ પૂરતા બંધ રાખવા માટે ર્નિણય થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.