Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે પંડિત દિનદયાલની શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડલ દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ને લઇને પુષ્પાંજલિ શ્રધ્ધાંજલી અર્પણ કરી  સમર્પણ દિન તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી .

પ્રાંતિજ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડલ દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પિ હતી તો આજના આ દિન ને સમર્પણ દિન તરીકે ની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ર્ડા.બાબાસાહેબ આંબેડકર કોમ્પલેક્ષ ખાતે આવેલ પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની ઓફિસ મદદ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ  સહિત ઉપસ્થિત સોવકોઇ ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પિ હતી

તો આ પ્રસંગે નગરપાલિકા  પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , શહેરપ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ , કુશવભાઇ બ્રહ્મભટ્ટ  , મહેશભાઈ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો નગરપાલિકા કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.