Western Times News

Gujarati News

ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા હવે આંબલી રોડને સ્થાને ચાંદલોડીયા સ્ટેશન પર રોકાશે

Files photo

ભુજ – બરેલી, પોરબંદર – દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો હવે પશ્ચિમ રેલ્વે દ્વારા આંબલી રોડને સ્થાને ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે.

 આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1.    ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશિયલ 19 ફેબ્રુઆરી 2021 થી 22:01 વાગ્યે ચાંદલોડિયા સ્ટેશન પહોંચશે અને 22:06 વાગ્યે ઉપડશે. વાપસીમાં, ટ્રેન નંબર 04311 બરેલી – ભુજ સ્પેશિયલ 20 ફેબ્રુઆરી 2021 થી 04:21 વાગ્યે ચાંદલોડિયા સ્ટેશન પહોંચશે અને 04:26 વાગ્યે ઉપડશે.

2.    ટ્રેન નંબર 09263 પોરબંદર – દિલ્હી સરાય રોહિલા 20 ફેબ્રુઆરી 2021 થી ચાંદલોદિયા સ્ટેશન પર 03:38 વાગ્યે પહોચશે અને 03:43 વાગ્યે ઉપડશે. વાપસીમાં, ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા – પોરબંદર સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2021 થી ચાંદલોડિયા સ્ટેશન પર 00:14 વાગ્યે પહોચશે અને 00:19 વાગ્યે ઉપડશે.

3.    ટ્રેન નંબર 09269 પોરબંદર – મુઝફ્ફરપુર સ્પેશિયલ 19 ફેબ્રુઆરી 2021 થી ચાંદલોડિયા સ્ટેશન પર 03:38 વાગ્યે પહોચશે અને 03:43 વાગ્યે ઉપડશે. વાપસીમાં, ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર – પોરબંદર સ્પેશિયલ 21 ફેબ્રુઆરી 2021 થી 05:15 વાગ્યે ચાંદલોડિયા સ્ટેશન પહોંચશે અને 05:20 વાગ્યે ઉપડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.