Western Times News

Gujarati News

પોડિચેરીની સરકાર બહુમતિ સાબિત નહીં કરી શકે : ભજપ

પોડિચેરી: ભાજના પોડિચેરી પ્રભારી નિર્મલ કુમાર સુરાનાએ કહ્યું છે કે પોડિચેરીમાં કોંગ્રેસ સરકાર ગૃહમાં પોતાનો વિશ્વાસ મત હાંસલ કરી શકશે નહીં અને તે તુટી પડશે તેમણે કહ્યું કે કોંગ્રેસના ત્રણ અન્ય ધારાસભ્ય વિધાનસભાનું સભ્ય પદ છોડવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે નિશ્ચિત રીતે પોડિચેરી સરકાર ગૃહમાં બહુમતિ હાંસલ નહીં કરી શકે

તેમણે કહ્યું કે વિધાનસભામાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસના ચાર ધારાસભ્યોમાંથી બે એ નમસ્સિવાયમ અને ઇ થિપિનદાન પહેલા જ ભાજપમાં સામેલ થઇ ચુકયા છે. અન્ય બે ધારાસભ્ય મલ્લાદિ કૃષણા રાવ અને એ જાેન કુમાર પણ ભાજપમાં સામેલ થશે

તેમણે કહ્યું કે આ નેતાઓએ અમારા વરિષ્ઠ નેતૃત્વ સાથે વાતચીત શરૂ કરી છે અને ટુંક સમયમાં તેઓ ભાજપમાં સામેલ થશે જાે કોંગ્રેસ સરકાર ગૃહમાં પોતાનો વિશ્વાસ મત હાંસલ કરી શકી નહીં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન આવવાની સંભાવના છે તો તેમણે કહ્યું કે આ એકમાત્ર વિકલ્પ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.