Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દર્દીની સંખ્યા ૧૪ હજારની નજીક પહોંચી

નવીદિલ્હી: દેશમાં ફરીથી કોરોનાના વધતા આંકડા ડરાવવા લાગ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા ગ્રાફનો અંદાજ તે પરથી જ લગાવી શકાય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દર્દીની સંખ્યા ૧૪ હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડા તેજીથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના ૧૩,૯૯૩ કેસ નોંધાયા હતા જે ગત ૨૭ દિવસોમાં સૌથી વધુ છે. આ દરમિયાન ૧૦૧ લોકોના મોત નીપજ્યા છે. જાેકે, બીજી તરફ રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાની રસી સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો શુક્રવારે રાજ્યમાં કોરોનાના ૬,૧૧૨ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, ૨,૧૫૯ દર્દીઓ સાજા થયા હતા, જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે ૪૪ લોકો મૃત્યુ પામ્યા હતા, અત્યાર સુધીમાં ૨૦ લાખ ૮૭ હજાર ૬૩૨ લોકો આ ચેપમાં આવ્યા છે. જેમાંથી ૧૯ લાખ ૮૯ હજાર ૯૬૩ લોકો સાજા થયા છે. એકલા મહારાષ્ટ્રમાં, કોરોનાને કારણે ૫૧,૭૧૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં હજી ૪૪ હજાર ૭૬૫ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

શુક્રવારે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના ચેપના ૨૯૭ નવા કેસ નોંધાયા હતા અને આ સાથે રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત મળી કુલ લોકોની સંખ્યા વધીને ૨,૫૮,૮૭૧ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં આ બીમારીથી વધુ બે મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મૃત્યુઆંક ૩,૮૪૬ પર પહોંચી ગયો છે.

મધ્યપ્રદેશ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના ૫૨ જિલ્લાઓમાંથી ૨૦ જિલ્લાઓ શુક્રવારે મળ્યા નથી. વાયરસના ચેપનો એક જ નવો કેસ થયો. તેમણે કહ્યું કે કોવિડ -૧૯ ના નવા ૧૨૬ કેસ શુક્રવારે ઈન્દોરમાં નોંધાયા છે, જ્યારે ભોપાલમાં ૬૮ નવા કેસ નોંધાયા છે.ગુજરાતની વાત કરીએ તો શુક્રવારે, કોરોના વાયરસના નવા ૨૬૬ કેસ નોંધાયા છે. જેની સામે ૨૭૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૦૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૭૨ ટકા છે. રાજયમાં આજે ૧૨૩૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૮,૦૯,૮૯૩ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.