Western Times News

Gujarati News

કૃષિ કાયદાના વિરોધમાં બિજનોરમાં ખેડૂતે ૫ વીઘાનો પાક નષ્ટ કર્યો

પ્રતિકાત્મક

બિજનોર, ઉત્તર પ્રદેશના બિજનોરમાં નવા ૩ કૃષિ કાયદાનો અનોખો વિરોધ જાેવા મળ્યો છે. ચાંદપુર ક્ષેત્રના એક ખેડૂતે કાયદાના વિરોધમાં પોતાના ૫ વીઘા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને નષ્ટ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પોતાના ફેસબુક પર વાયરલ કરીને ભાકિયૂના જિલ્લાધ્યક્ષ દિગંબર સિંહે બિજનોરમાં પાક નષ્ટ કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે તેવો દાવો કર્યો હતો.

છેલ્લા ૩ મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું અભિયાન ચાલી રહ્યું છે. કાયદાના વિરોધમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર ખેડૂત પંચાયતો યોજાઈ રહી છે. ચાંદપુર તાલુકાના કુલચાના ગામના સોહિત કુમાર નામના ખેડૂતે શનિવારે સવારે ટ્રેક્ટર અને હૈરો લઈને જંગલમાં પોતાની ૫ વીઘા જમીન પર લહેરાઈ રહેલો ઘઉં અને જુવારનો પાક સફાચટ કરી નાખ્યો હતો.

આ અંગે જાણ થતા જ નાયબ તહેસીલદાર બ્રજેશ કુમારે કુલચાના જઈને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સોહિત સાથે વાત કરી હતી. સોહિતે પાકનો યોગ્ય ભાવ ન મળવાના કારણે, કૃષિ કાયદાના વિરોધમાં આ પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

સોહિતના કહેવા પ્રમાણે સાચી એમએસપી મળવી જાેઈએ. મંડીમાં ભાવ અલગ છે અને આડતીયાઓ બીજાે ભાવ બતાવી રહ્યા છે. બ્રજેશ કુમારે ખેડૂતોને આ પ્રકારનું કોઈ પગલું ન ભરવા સમજાવ્યા હતા અને તેમાં પોતાનું નુકસાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.