Western Times News

Gujarati News

ટિકૈત ચૂંટણીના ૧૪ દિવસ પહેલાં પશ્વિમ બંગાળ જશે

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરૂદ્ધ દિલ્હીની બોર્ડરો પર બેઠેલા ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતએ વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્વિમ બંગાળના દૌરની જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતએ કહ્યું કે તે ચૂંટણીના ફક્ત ૧૪ દિવસ પહેલાં એટલે કે ૧૩ માર્ચના રોજ બંગાળ જશે અને ત્યાં આયોજિત એક મહાપંચાયતમાં જાેડાશે. સંયુક્ત કિસાન મોરચાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી

તે ચૂંટણીવાળા રાજ્યોના લોકો સાથે ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી નીતિઓના વિરૂદ્ધ ભાજપને પાઠ ભણાવવાની અપીલ કરશે . કહેવામાં આવી રહ્યું છે કે ડો. દર્શન પાલ, યોગેંદ્ર યાદવ, બલવીર સિંહ રાજેવાલ જેવા અન્ય ખેડૂત નેતા પણ ૧૨ માર્ચના રોજ આ મહાપંચાયતમાં જાેડાશે. જ્યારે રાકેશ ટિકૈત ૧૩ માર્ચના રોજ તેને સંબોધિત કરશે.

પશ્વિમ બંગાળની ૨૯૪ વિધાનસભા સીટો માટે ૮ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં ૨૭ માર્ચ, એક એપ્રિલ, ૬ એપ્રિલ, ૧૦ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૨ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામ ૨ મેના રોજ આવશે. પહેલાં અને બીજા તબક્કામાં ૩૦-૩૦ સીટો, ત્રીજા તબક્કામાં ૩૧ સીટો, ચોથા તબક્કામાં ૪૪ સીટો, પાંચમા તબક્કામાં ૪૫ સીટો, છઠ્ઠા તબક્કામાં ૪૩ સીટો, સાતમા તબક્કામાં ૩૬ સીટો અને આઠમા તબક્કામાં ૩૫ સીટો પર મતદાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.