Western Times News

Gujarati News

મમતા દીદીની સ્થિતિમાં સુધારો, રજા બાદ વ્હીલચેરનો ઉપયોગ કરશે

કલકત્તા,  પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોનુ કહેવુ છે કે, તેમની તબિયતમાં સંતોષજનક સુધારો જાેવા મળી રહ્યો છે.

સરકારી હોસ્પિટલ એસએસકેમના ડોકટરોએ કહ્યુ હતુ કે, રાત્રે મમતા બેનરજીને સારી રીતે ઉંઘ આવી હતી અને તેમના શરીર પર સારવારની સારી અસર થઈ રહી છે. ડોક્ટરોની એક ટીમ મમતા બેનરજીની હાલત પર નજર રાખી રહી છે અને આજે તેમના પગ પર કરાયેલુ પ્લાસ્ટર કાપીને જાેવામાં આવશે કે તેમની ઈજા ઠીક થઈ છે કે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.