Western Times News

Gujarati News

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત ગજવશેઃ પાલનપુર, બારડોલીમાં કિસાન સભા

અમદાવાદ: ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.

રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત ૪ એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.

ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને ૫ એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત ૫ એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.