Western Times News

Gujarati News

લોનની પઠાણી ઉઘરાણીથી ત્રાસેલા યુવકની આત્મહત્યા

પ્રતિકાત્મક

સુરત, સુરત શહેરમાં ભાગ્યે જ એવો દિવસ ઉગે છે જે દિવસે આપઘાતની ઘટના ન ઘટી હોય. આર્થિક હરણફાળ ભરતા સુરતે અનેક લોકોનાં સ્વપ્ન પુરા કર્યા છે પરંતુ આ ભીડમાં એવા અનેક હતભાગી છે જેમના માટે બે ટંકાના રોટલા અને પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરવી પણ દોહ્યલી બને છે. શહેરમાં વ્યાજખોરો બેફામ છે.

જરૂરિયાતમંદ માણસ જ્યારે વ્યાજે રૂપિયા લેવા નીકળે છે ત્યારે તે પોતાની પાસેનો અંતિમ વિકલ્પ પસંદ કરતો હોય છે પરંતુ વ્યાજખોરો માનવતા તો ઠીક પરંતુ કાયદાને પણ ન ગાઠતા હોય તેમ પઠાણી ઉઘરાણીઓ કરાવે છે અને અનેક લોકોને મરવા મજબૂર કરે છે. આવી જ એક દુઃખદ ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે.

અહીંયા કથિત રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી એક આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે. આ યુવક પોતાની પાછળ ૩ વર્ષની દીકરી અને પત્નીને આગળની જિંદગી વિલાપમાં ગુજારવા છોડી ગયો છે. યુવકે લોનના રૂપિયા ચુકવવામાં અસક્ષમ હોવાના કારણે ચારેકોરથી નાણા માટે પ્રયાસો કર્યા હતા.

પરંતુ પરિવારના મતે તેને આર્થિક મદદ ન મળતા તે પત્ની અને દીકરીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો. જાેકે, આજે તેણે પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓનાં ત્રાસથી કંટાળી અને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.