Western Times News

Gujarati News

ભાજપના કાર્યકરોએ મમતાની સામે જય શ્રી રામના નારા લગાવ્યા

કોલકતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થવાનુ છે. જ્યાં ટીએમસીના નેતા અને સીએમ મમતા બેનરજી સામે ભાજપના શુભેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે.

આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોવાથી તમામ પાર્ટીઓ પોતાની તાકાત કામે લગાડી રહ્યા છે. દરમિયાન નંદીગ્રામમાં મમતા બેનરજીનો આજે રોડ શો યોજાયો હતો. વ્હીલ ચેર પર બેસીને મમતાએ રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મમતાને ચીઢવવા માટે ભાજપના કાર્યકરોએ મમતા બેનરજીની સામે જઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

અહીંયા અમિત શાહે પણ રોડ શો કર્યો હતો આ જ રુટ પરથી મમતા બેનરજીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે મમતાની ગાડી સામે
જઈને ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.આ દરમિયાન થોડીવાર માટે તનાવ ઉભો થયો હતો પરંતુ સુરક્ષા દળોએ સ્થિતિને સંભાળી લીધી હતી.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને મમતા બેનરજીના રોડ શોમાં કહ્યુ હતુ કે, ભાજપના નેતા પરિવારવાદ પર બીજા પક્ષોને જ્ઞાન આપે છે પણ હકીકત એ છે કે, શુભેન્દુના પિતાજી સાંસદ, ભાઈ સાંસદ અને બીજા એક ભાઈ કોર્પોરેશનના ચેરમેન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.