Western Times News

Gujarati News

અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ ફરીથી સ્થગિત-ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રોડ્યૂસર સંજય લીલા ભણસાલી બાદ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત

મુંબઈ, આલિયા ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હોવાના રિપોર્ટ્‌સ છેલ્લા કેટલાક કલાકથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા હતા અને હવે એક્ટ્રેસે પોતે જ આ વાતની પુષ્ટિ કરી છે. આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવ્યું છે કે, તેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે હોમ ક્વોરન્ટિન છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું છે કે, હેલ્લો, મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તરત જ પોતાને આઈસોલેટ કરી લીધી હતી અને હોમ ક્વોરન્ટિમાં જ રહીશ. મારા ડોક્ટરોની સલાહ પ્રમાણે હું દરેક સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છે. સુરક્ષિત રહો અને કાળજી રાખો.

સાંજે ૮.૪૫ કલાકે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં જ આલિયા સેટ છોડીને જતી રહી હતી. હવે, ઓછામાં ઓછા ૧૦ દિવસ સુધી ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ સ્થગિત રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરુઆતમાં ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રોડ્યૂસર સંજય લીલા ભણસાલીને પણ કોરોના થયો હતો.

ગુરુવારે સાંજે આલિયા બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ડબિંગ સેશન બાદ સ્પોટ થઈ હતી. તેઓ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે સ્ક્રીન શેર કરતાં જાેવા મળવાના છે. અત્રે જણાવવાનું કે આલિયા ભટ્ટ અગાઉ તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે. રણબીર ૯ માર્ચના રોજ કોવિડથી સંક્રમિત થયો હતો. ત્યારબાદ તે ક્વોરન્ટિન હતો. જાે કે રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે અને તે કામ પર પાછો ફર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.