Western Times News

Gujarati News

પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી નાઇટ કર્ફ્‌યુમાં વધારો કરાયો

Files Photo

ચંડીગઢ: પંજાબમાં હવે નાઇટ કર્ફ્‌યુ વધારીને ૩૦ એપ્રિલ કરવામાં આવ્યો છે. કોરોનાની વધતી ગતિને ધ્યાનમાં રાખીને સરકારે આ ર્નિણય લીધો છે. રાજ્યમાં રાજકીય એસેમ્બલીઓ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબમાં રાત્રે ૯ થી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. આ સિવાય,ઇનડોર ઇવેન્ટ્‌સમાં ૫૦ લોકો અને આઉટડોરમાં ફક્ત ૧૦૦ લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

બુધવારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વ હેઠળ કોરોના કેસની સમીક્ષા કરવા માટે એક બેઠક મળી હતી, ત્યારબાદ આ ર્નિણય લેવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે, કેપ્ટન અમરિંદર સિંહે પહેલાથી જ સંકેત આપી દીધા હતા અને કહ્યું હતું કે જાે લોકો નહીં માને તો આ કડકતા ૮ એપ્રિલથી લાગુ કરી શકાય છે.
પંજાબમાં કેન્દ્ર સરકારે પણ વધી રહેલા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં જાેવા મળતા ૮૦ ટકા કેસ યુકે વેરિયન્ટના છે, જે પહેલા કરતા વધુ જાેખમી છે

યુવાનોને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં પંજાબ ચિંતાનું કારણ બની રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં વિદેશથી આવતા લોકોની સંખ્યા વધારે છે અને તેના કારણે કોરોનાનો ચેપ ફેલાઇ રહ્યો છે.જાે કે, તમામ ઉપયોગો કરવામાં આવ્યા હોવા છતાં, પંજાબમાં કોરોના કેસ વધી રહ્યા છે. મંગળવારે રાજ્યમાં કોરોના ચેપના ૨,૯૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૬૨ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના સક્રિય કેસની સંખ્યા વધીને ૨૫,૯૧૩ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં ૭,૨૧૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે મંગળવારે પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોને વધતા જતા કેસને કારણે ચિંતાનું કારણ હોવાનું જણાવ્યું હતું અને ટીમો મોકલવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.