Western Times News

Gujarati News

સર્ટિ. ઉપર મોદીનો ફોટો હોઈ શખ્સનો વેક્સિન લેવા ઈનકાર

જેએનયુના પૂર્વ પ્રોફેસર ચમનલાલે આ અંગે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘને એક પત્ર પણ લખ્યો

નવી દિલ્હી,  દેશમાં કોરોનાના કહેર વચ્ચે ચાલી રહેલા કોરોનાના વેક્સીનેશન વચ્ચે પંજાબમાં એક સિનિયર સિટિઝને કોરોના વેક્સીન લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આની પાછળ તેમણે આપેલુ કારણ પણ જાણવા જેવુ છે.તેમનુ કહેવુ છે કે, વેક્સીનેશન માટેના સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો હોવાથી હું વેક્સીન લઈ રહ્યો નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ચમનલાલે આ અંગે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘને એક પત્ર પણ લખ્યો છે.તેમનુ કહેવુ છે કે, સર્ટિફિકેટ પર કોઈ ડોકટરોની સહી હોવી જાેઈએ.મને વેક્સીન લગાવવાની જરુર છે પણ મને પીએમ મોદીની તસવીર સર્ટિફિકેટ પર હોવા સામે વાંધો છે.

તેમનુ કહેવુ છે કે, અન્ય કોઈ પણ દેશમાં વેક્સીન લીધા પછી જે સર્ટિફિકેટ અપાય છે તેના પર રાજકીય નેતાની તસવીર હોતી નથી.ભારતમાં જ સત્તા પર બેસેલા નેતાની તસવીર સાથેનુ સર્ટિફિકેટ અપાઈ રહ્યુ છે.તેમણે પંજાબ સરકારને તસવીર પરથી સર્ટિફિકેટ હટાવવા માટે પણ અનુરોધ કર્યો છે.

સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટા સામે અગાઉ પણ વિરોધ થઈ ચુકયો છે.મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તો તાજેતરમાં એમ પણ કહ્યુ હતુ કે, જાે સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર હોય તો કોરોનાના કારણે મોતને ભેટનાર લોકોની તસવીરો પણ તેના પર લગાવવી જાેઈએ. આ પહેલા મમતા બેનરજીએ પણ સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર સામે વાંધો ઉઠાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.