Western Times News

Gujarati News

જેને તમે સહાયતા કહો છો તેને અમે મિત્રતા કહીએ છીએઃ એસ. જયશંકર

નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દરરોજ કોરોનાના નવા કેસ ૩થી ૪ લાખની વચ્ચે આવી રહ્યા છે. આ અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી વિશ્વ ત્રસ્ત છે. આ વખતે ભારતમાં કોરોનાની અસર ખૂબ જ વધારે જાેવા મળી રહી છે.ભારતે અનેક દેશને વેક્સિન અને દવાઓ પહોંચાડીકોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે અનેક દેશને મદદ કરી છે. ભારતે અમેરિકા, સિંગાપોર, યુરોપીય દેશોને દવાઓ પણ પહોંચાડી હતી. આ સાથે જ કેટલાક દેશોને વેક્સિન પણ આપી હતી. જાેકે, જેને તમે સહાયતા કહો છો તેને અમે મિત્રતા કહીએ છીએ.

ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે, આ રીતે સહાયતા એ તર્ક પોઈન્ટ સ્કોરિંગનો પ્રકાર છે. મને લાગે છે કે, લોકો સમસ્યાથી વૈચારિક રૂપથી નથી જાેડાઈ રહ્યા. મેં દિલ્હીની સ્થિતિને જાેઈ છે. અમે લોકોની મદદ કરવા માટે બધુ કરીશું. વર્તમાન સ્થિતિમાં કોરોના મહામારી સામે એક થવું પડશેઃ

વિદેશ પ્રધાનવિદેશ પ્રધાન હાલમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં તેમણે ય્-૭ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક અંગે પણ એક સંદેશ આપ્યો હતો કે, વર્તમાન સ્થિતિમાં વિશ્વને આ કોરોના મહામારી સામે એક થવું પડશે. કારણ કે, વર્તમાન સમયમાં ભલે સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે, પરંતુ જી-૭ સભ્ય દેશો અમેરિકાથી લઈને ઈટલી અને બ્રિટન સુધીનો કોરોના કહેર સહન કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.