Western Times News

Gujarati News

અર્જુને રિયાલિટી શો ડાન્સ દિવાને ૩ કેમ હોસ્ટ ના કર્યો?

મુંબઈ: આજકાલ ખતરોં કે ખિલાડીની ખૂબ ચર્ચા થઈ રહી છે. નવી સીઝનના પાર્ટિસિપન્ટ્‌સ કેપ ટાઉન જવા રવાના થઈ રહ્યા છે ત્યારે આમાં એક નામ ટીવી એક્ટર અર્જુન બિજલાનીનું પણ છે. અર્જુન બિજલાની આ રિયાલિટી શો માટે ઉત્સાહિત હોવાથી સાથે થોડો ભયભીત પણ છે. અર્જુન બિજલાનીએ અગાઉ ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દિવાને હોસ્ટ કર્યો હતો.

ત્યારે આ વખતે અર્જુન આ શોમાંથી ગાયબ જાેવા મળી રહ્યો છે. આ વિશે પ્રશ્ન કરાતાં એક્ટરે જણાવ્યું, ખાસ્સા સમયથી તેઓ મને ખતરોં કે ખિલાડીની ઓફર આપી રહ્યા હતા. પરંતુ હંમેશા ડેટ્‌સ ડાન્સ દિવાને સાથે ક્લેશ થતી હતી.

ત્યારે આ વર્ષે મેં ડાન્સ દિવાનેને બદલે ખતરોં કે ખિલાડી કરવાનો ર્નિણય કર્યો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અર્જુનના બદલે ડાન્સર રાઘવ જુયાલ ‘ડાન્સ દિવાને ૩’ હોસ્ટ કરી રહ્યો છે. હાલ કોરોનાના કારણે દેશમાં સ્થિતિ ગંભીર છે ત્યારે અર્જુને કહ્યું, આ પરિસ્થિતિમાં મારા પરિવારને મૂકીને જવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ કામ તો કરવું પડશે ને. શો મસ્ટ ગો ઓન. હું જતા પહેલા વેક્સીન લેવાનો પ્રયાસ કરી રહ્યો છું આશા રાખું કે મળી જાય. સીરિયલ ઈશ્ક મેં મરજાવાં’નો એક્ટર અર્જુન થોડા સમય પહેલા પરિવાર સાથે સમય વિતતાવા અને ‘ખતરોં કે ખિલાડી’ની તૈયારી માટે ગોવા ગયો હતો.

થોડા દિવસો પહેલા મુંબઈ કરતાં ગોવાની સ્થિતિ વધુ સારી હતી ત્યારે અર્જુને આગામી રિયાલિટી શો માટે ત્યાં જઈને તૈયારીઓ કરી હતી. હું મારા પરિવાર સાથે આ કોલાહલથી દૂર શાંતિનો સમય વિતાવવા માગતો હતો. અમે જ્યાં રોકાયા હતા તે હોટલના જિમમાં મેં વર્કઆઉટ કર્યું હતું પરંતુ વર્કઆઉટ પ્લાનને મેં જે રીતે વિચાર્યો હતો એ પ્રકારે અમલમાં ન મૂકી શક્યો. ત્યાં પણ ખૂબ સાવધાની રાખતો હતો, તેમ અર્જુને ઉમેર્યું. માનસિક તૈયારી પણ ખૂબ જરૂરી છે

કારણકે આ ગેમ માનસિક ક્ષમતા પણ ચકાસે છે. એક્ટરે કહ્યું, “હું મારી જાતને વારંવાર કહેતો રહ્યો કે બધું જ બરાબર થઈ જશે. હું ત્યાં હકારાત્મક વિચારો સાથે જઈ રહ્યો છું. જાે કે, અર્જુનને જીવડાંઓથી ખૂબ ડર લાગે છે. તેણે કહ્યું, “આ જીવડાઓ મારા શરીર પર ફરશે તે વિચારીને જ ચિતરી ચડે છે. મને નથી ખબર કે જ્યારે ખરેખર આમ થશે ત્યારે કેવી પ્રતિક્રિયા આપીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.