Western Times News

Gujarati News

કોરોનાના ૨૪ કલાકમાં ૨.૭૬ લાખ નવા કેસ, ૩૮૭૪ દર્દીનાં મોત

This illustration, created at the Centers for Disease Control and Prevention (CDC), reveals ultrastructural morphology exhibited by coronaviruses, including the novel coronavirus identified as the cause of an outbreak of respiratory illness first detected in Wuhan, China in 2019, 2020. Courtesy CDC/Alissa Eckert, MS. CDC requests display of watermark due to emergent nature of outbreak. (Photo by Smith Collection/Gado/Getty Images)

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના અઢી લાખથી વધુ કેસો સામે આવવાનો દોર સતત ચાલુ છે. જાેકે મોતના આંકડામાં ગુરુવારે ઘટાડો નોંધાતા ૪ હજારથી નીચે નોંધાયા છે. બીજી રાહતની બાબત એ છે કે એક્ટિવ કેસો હવે ૩૧ લાખની નજીક આવી ગયા છે. એક સમયે એક્ટિવ કેસોની સંખ્યા ૩૬ લાખની ઉપર પહોંચી ગઈ હતી.

ગુરુવાર ૨૦ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૭૬,૦૭૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૮૭૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૫૭,૭૨,૪૦૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૮,૭૦,૦૯,૭૯૨ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૨૩ લાખ ૫૫ હજાર ૪૪૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૬૯,૦૭૭દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૧,૨૯,૮૭૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૮૭,૧૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

કોરોના સેમ્પલ ટેસ્ટિંગમાં પણ નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૯ મે સુધીમાં ભારતમાં કુલ ૩૨,૨૩,૫૬,૧૮૭કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૨૦,૫૫,૦૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૨૪૬ કેસ નોંધાયા છે. જેની સામે ૯૦૦૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૭૧ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૩૪૦ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૬.૭૮ ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ ૯૨૬૧૭ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૭૪૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૯૧૮૭૫ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬૯૪૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.