Western Times News

Gujarati News

રણબીર અને આલિયા ભટ્ટના લગ્ન ૨૦૨૨માં થઈ શકે છે

મુંબઈ: બોલિવૂડનાં ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી જગજાહેર છે. બંને જાહેરમાં ઘણી વખત સાથે નજર આવે છએ. ફેન્સ જલ્દીથી તેમને લગ્ન બંધનમાં બંધાતા જાેવા ઇચ્છે છે. ત્યારે તેમનાં ફેન્સ માટે એક ગૂડન્યૂઝ છે. જેનાં વિશે જાણીતા જ્યોતિષી, ફેસ રીડર અને ભવિષ્યવાણી કર્તા પંડિત જગન્નાથ ગુરુજીએ કરી છે. એક ન્યૂઝ પોર્ટન મુજબ, જાે રણબીરનાં પિતા રિશી કપૂરનું આકસ્મિક નિધન અને માહામારીની સ્થિતિ ન હોત તો બંનેએ લગ્ન કરી લીધા હોત.

જાેકે, ફેન્સો જરાં પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લઇ લીધો છે. બંનેનાં ફેસ રિડિંગ આધારે પંડિત જગ્ન્નાથ ગુરુજીનું કહેવું છે કે, બંને વર્ષ ૨૦૨૨માં લગ્ન કરી લેશે. એટલું જ નહીં તેમનાં ફેસ રિડિંગ અને જ્યતિષીની ગણના મુજબ, રણબીર અને આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પાવર કપલમાંથી એક છે. જેમની જાેડી ખાસ હશે. ઠીક તેમ જ જેમ નરગિસ અને સુનીલ દત્ત. આપને જણાવી દઇએ કે, લાંબા સમયથી આ કપલનાં લગ્ન અંગે અટકળો લગાવવામાં આવી રહી છે.

મહામારી પહેલાંની રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું હતું કે, તેઓનાં લગ્નની યોજનાડિસેમ્બર ૨૦૨૦માં હતી. પણ કેટલાંક કારણોને કારણે તે પૂર્ણ થઇ ન હતી. જાેકે, આ કપલે લગ્ન પહેલાં જ પાલીમાં નવું ઘર લઇ લીધુ છે. લગ્ન બાદ તેઓ ત્યાં રહેશે તેવી વાતો છે. આ ફ્લેટમાં રણબીરે આલિયાની પસંદનું ઇન્ટીરિયર કરાવ્યું છે. ત્યારે આ બંનેની ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’ પણ રિલીઝ માટે તૈયાર છે.

આ ફિલ્મમાં રણબીર શિવનાં રૂપમાં નજર આવશે. જે સામાન્ય માણસ છે પણ તેની પાસે મહાશક્તિઓ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કિનેની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.