Western Times News

Gujarati News

આદિત્યએ કુમાર સાનુને પૂછ્યું કોના કહેવાથી વખાણ કર્યા?

થોડા દિવસ સુધી એલિમિનેશન નહીં થાય, આગામી થોડા અઠવાડિયાઓમાં શોમાંથી કોઈ કન્ટેસ્ટન્ટ બહાર નહીં જાય

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ છેલ્લા થોડા દિવસોથી સતત ચર્ચામાં છે. કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપતા એપિસોડ પર દર્શકોના એક વર્ગે ફિટકાર વરસાવ્યો હતો. જે બાદ શોમાં થતી નૌટંકીને લઈને પણ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન શો તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શોના મેકર્સે નક્કી કર્યું છે કે, આગામી થોડા દિવસ સુધી એલિમિનેશન નહીં થાય. મતલબ કે, આગામી થોડા અઠવાડિયાઓમાં શોમાંથી કોઈ કન્ટેસ્ટન્ટ બહાર નહીં જાય. આ સિવાય શોના મેકર્સે પાવરપ્લે રાઉન્ડની જાહેરાત કરી છે.

જે મુજબ જે કન્ટેસ્ટન્ટને સૌથી વધારે વોટ મળશે તે આપોઆપ ફિનાલે રાઉન્ડમાં પર્ફોર્મ કરવા માટે એન્ટ્રી મેળવી લેશે. શોના એન્કર અને હોસ્ટ આદિત્ય નારાયણે કહ્યું, આ પહેલી સીઝન નથી જ્યાં મેકર્સે એલિમિનેશન ન કરવાનો ર્નિણય કર્યો હોય. અગાઉ પણ આવું કર્યું છે. આ વખતે થોડા અઠવાડિયાઓ સુધી એલિમિનેશન નહીં થાય. શોની આખી ટીમ, પ્રોડક્શન અને ચેનલનો આ સહિયારો ર્નિણય છે કારણકે અમારો શો છેલ્લા ૨૫ અઠવાડિયાથી ચાલી રહ્યો છે અને દર્શકોને પણ પસંદ પડી રહ્યો છે. દર અઠવાડિયે આવા ટેલેન્ટેડ કન્ટેસ્ટન્ટ્‌સને સાંભળવાનો મોકો મળતો હોય તો સંગીત પ્રેમી તરીકે હું કેમ જતો કરું. જે દર્શકોને આ શો જાેવો ગમે છે તેમને પણ કન્ટેસ્ટન્ટ્‌સને જાેવાની મજા પડશે. કન્ટેસ્ટન્ટ્‌સ ખરેખર ખૂબ ટેલેન્ટેડ અને મહેનતુ છે.

હાલ એલિમિનેશન નહીં થાય અને આ અઠવાડિયાઓના વોટની એકસાથે ગણતરી થશે અને બાદમાં એલિમિનેશન યોજાશે. હવે અમે ફિનાલેથી માત્ર થોડા અઠવાડિયા દૂર છીએ. શોના આગામી એપિસોડમાં સિંગર કુમાર સાનુ, રૂપ કુમાર રાઠોડ અને અનુરાધા પૌડવાલ મહેમાન તરીકે જાેવા મળશે. શોના મેકર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં કુમાર સાનુ કહે છે, “આ નવ કન્ટેસ્ટન્ટ્‌સ હીરા જેવા છે અને તેમણે અઠવાડિયાઓ સુધી દર્શકોને મનોરંજન પીરસ્યું છે. હું કહેવા માગુ છું કે મને તેમના વખાણ કરવા માટે કોઈ દબાણ નથી કરવામાં આવ્યું.

આપણે સૌ જાણીએ છીએ કે આ સીઝનમાં જે ટેલેન્ટ છે તે અભૂતપૂર્વ છે.” મહત્વનું છે કે, કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં તેમના દીકરા અમિત કુમાર મહેમાન બન્યા હતા. એપિસોડ પ્રસારિત થયા બાદ તેમણે આરોપ મૂક્યો હતો કે શોની ટીમે કન્ટેસ્ટન્ટ્‌સના વખાણ કરવાનું કહ્યું હતું. આ મુદ્દો ખાસ્સો ચગ્યો હતો. ત્યારે આ વખતે કુમાર સાનુને આદિત્યએ સામેથી જ પ્રશ્ન કરી લીધો હતો કે, તેમને વખાણ કરવાનું કહેવાયું છે કે દિલથી કર્યા છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.