Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં એરપોર્ટ પર અવરજવર ઘટી

Files Photo

માર્ચ ૨૦૨૧માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિક સહિત મુસાફરોની અવરજવર માત્ર ૫.૫૬ લાખ પેસેન્જર્સની રહી

અમદાવાદ: કોરોનાની બીજી લહેરના કારણે વિમાન દ્વારા મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે, એર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે માર્ચ ૨૦૨૧માં ૬.૩%ના ઘટાડા સાથે પ્રમાણમાં અસરગ્રસ્ત રહ્યો હતો. માર્ચ ૨૦૨૧માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિક સહિત મુસાફરોની અવરજવર ૫.૫૬ લાખ મુસાફરો જેટલી રહી હતી, ગયા વર્ષે આ જ મહિના દરમિયાન મુસાફરોની સંખ્યા ૫.૯૩ લાખ હતી. શહેર એરપોર્ટના સૂત્રોના અંદાજ પ્રમાણે, કોરોનાની બીજી લહેરે તેજ થતાં એપ્રિલમાં મુસાફરોની અવરજવરમાં તીવ્ર ઘટાડો થયો હતો.

જાે કે, છછૈંએ આ વર્ષના એપ્રિલ મહિનામાં મુસાફરોની અવરજવરનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. ટ્રેન્ડ વિશે વાત કરતાં, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં, આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ ફરજિયાતના પ્રતિબંધને માર્ચ મહિનાના અંતમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે મુસાફરોના ટ્રાફિક પર એટલી વધારે અસર નહોતી થઈ. મહારાષ્ટ્રમાં આ જ ર્નિણય વહેલો લાગુ કરવામાં આવ્યો હતો. વધુમાં, બીજી લહેરના કારણે મુસાફરો ઈમરજન્સી વગર પોતાના શહેરની બહાર જવાનું ટાળ્યું હતું. તેથી, મુસાફરોની અવરજવરને અસર પહોંચી હતી.

એરપોર્ટ પર પહોંચતા આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવાનો પ્રોટોકોલ રાજ્ય પ્રમાણે બદલાય છે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ટ્રાવેલિંગ પર અસર કરવા માટે આ પૂરતું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરેશનલ એરપોર્ટ પરથી ૧૧ જેટલી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં લખનઉ, બેંગ્લોર, મુંબઈ, વારાણસી, દિલ્હી, ચેન્નઈ અને અમૃતસરનો સમાવેશ થતો હતો. મોટાભાગની ફ્લાઈટે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં અસ્થાયી ધોરણે તેમની ઉડાણ રદ કરતાં ફ્લાઈટ ઓપરેશનને અસર પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.