Western Times News

Gujarati News

ગૌતમ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ પર શહેનાઝને અનફોલો કરી

મુંબઈ: બિગ બોસ ૮નો વિનર ગૌતમ ગુલાટી બિગ બોસ ૧૩ના એક એપિસોડમાં હાજરી આપી હતી. ગૌતમ ગુલાટીની એન્ટ્રીથી તે વખતે સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો તે હતી શહેનાઝ ગિલ. જાે તમે બિગ બોસ જાેતા હશો તો ખ્યાલ હશે કે ગૌતમ ગુલાટી જેવો ઘરમાં ગયો કે તરત જ શહેનાઝ ગિલ તેને ભેટવા માટે દોડી હતી. આ સિવાય તે તેની મોટી ફેન હોવાનું પણ કહ્યું હતું. શહેનાઝને ગૌતમની કંપની ગમી હતી.

જાે કે, થોડા દિવસ પહેલા ગૌતમ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ પર શહેનાઝ ગિલને અનફોલો કરી હતી. આ વાતથી ગૌતમ અને શહેનાઝના ફેન્સને નવાઈ લાગી હતી અને એકબીજા સાથે સારું બની રહ્યું હોવા છતાં કેમ આમ કર્યું તેવો સવાલ કરી રહ્યા હતા. બધી અટકળોને પૂર્ણ વિરામ આપતાં, એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગૌતમ ગુલાટીએ શહેનાઝ ગિલને અનફોલો કરવા પાછળનું કારણ જણાવ્યું છે. તેણે જણાવ્યું કે, તે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ વચ્ચે કોઈ સમસ્યા ઉભી કરવા માગતો નહોતો. ગૌતમે શહેનાઝના વખાણ પણ કર્યા અને તેને સારી, બબલી તેમજ ક્યૂટ કહી. ગૌતમ ગુલાટીએ જણાવ્યું કે, ‘તે બહેન જેવી છે.

પ્રામાણિકતાથી કહું તો, મેં ક્યારેય તે વિશે વિચાર્યું નહોતું. લોકો અમને પસંદ કરવા લાગ્યા. હું ખૂબ હસતો હતો કારણ કે મેં તે રીતે ક્યારેય વિચાર્યું નહોતું’. તેણે તેમ પણ કહ્યું કે, જાે રિયલમાં શહેનાઝ અને સિદ્ધાર્થ સાથે છે તો તેમની વચ્ચે લોકો તેને લાવે તેવું તે ઈચ્છતો નહોતો. ગૌતમે કહ્યું કે, તેની અને શહેનાઝ વચ્ચે સારી મિત્રતા છે. તેણે હંમેશા શહેનાઝને બહેનની નજરે જાેઈ છે. ‘તે જે રીતે મારી સાથે વર્તન કરે છે તે રીતે હું તેને ક્યૂટ બહેનની જેમ જાેઉ છું. તેથી તેને લઈને અન્ય કોઈ વિચાર મારા મગજમાં આવ્યો નથી’,

તેમ ગૌતમે ઉમેર્યું. ગૌહર ખાન, હિના ખાન અને સિદ્ધાર્થ શુક્લાની જેમ ગૌતમ ગુલાટી પણ બિગ બોસ ૧૪માં તૂફાની સીનિયર બનીને આવવાનો હતો. પરંતુ તેણે ઓફર નકારી દીધી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, તે ઘરમાં ફરીથી જવાનું પસંદ નહીં કરે પરંતુ ઘરમાં મહેમાન તરીકે જવામાં તેને વાંધો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.