Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના ૧.૮૬ લાખ કેસ, ૩૬૬૦ દર્દીનાં મોત

કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે ભારતમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૭૫ લાખ ૫૫ હજાર ૪૫૭ ઉપર થઈ ગઈ છે

નવી દિલ્હી: દેશમાં કોરોના ગ્રાફ ઊંચકાયા પછી હવે ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ નબળી પડી છે. કોરોના આંકડા ૨.૧૧ લાખને વટાવી ગયા હતા, ત્યારે આજે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટીને ૧.૯૦ લાખથી પણ નીચે જતી રહી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧ લાખ ૮૬ હજાર ૩૬૪ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ૩,૬૬૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૭૫ લાખ ૫૫ હજાર ૪૫૭ થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના દેશમાં અત્યાર સુધીમાં ૨૩ લાખ ૪૩ હજાર ૧૫૨ સક્રિય કેસ છે, જ્યારે ૨ કરોડ ૪૮ લાખ ૯૩ હજાર ૪૧૦ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૩ લાખ ૧૮ હજાર ૮૯૫ લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળી છે. મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ના નવા ૨૧,૨૭૩ કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં સંક્રમણના કુલ કેસો ૫૬,૭૨,૧૮૦ થઈ ગયા છે, જ્યારે રાજ્યમાં રોગચાળાથી મૃત્યુની સંખ્યા વધીને ૯૨,૨૨૫ થઈ છે, જેમાં ૪૨૫ દર્દીઓનાં મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી ૫૬૭૨૧૮૦ લોકોને કોરોના ચેપ લાગ્યો છે

આમાંથી ૫૨૭૬૨૦૩ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં ૯૨૨૨૫ દર્દીઓ મૃત્યુ પામ્યાં છે. હાલમાં, ૩૦૧૦૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણનાં ૧,૯૭૭ નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૭,૭૩,૮૫૫ થઈ ગઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ -૧૯ ચેપને કારણે ૭૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધી, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭,૮૨૮ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવિડ -૧૯ ના ૫૭૭ નવા કેસ ગુરુવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં ૪૦૯ અને જબલપુરમાં ૯૯ નવા કેસ આવ્યા છે. રાજ્યમાં કુલ ૭,૭૩,૮૫૫. ચેપગ્રસ્ત લોકોમાંથી ૭,૨૭,૭૦૦ દર્દીઓ સાજા થયા છે અને ૩૮,૩૨૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.