Western Times News

Gujarati News

વનરાજ લગ્નના મંડપમાંથી ગાયબ થતા દોડધામ મચી

અનુપમાના અપકમિંગ એપિસોડમાં ખુબ હંગામો થવાનો છે, કાવ્યા પોતાના લગ્નના દિવસે ખુબ ઉત્સાહમાં રહેશે

મુંબઈ: ટીવી સીરિયલ અનુપમામાં આ દિવસોમાં કાવ્યા અને વનરાજના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. આ લગ્નને લઈને કાવ્યા જેટલી ઉત્સાહી છે વનરાજ એટલો નથી. હવે વનરાજ એવું પગલુ ભરવાનો છે કે કાવ્યા ચોંકી જવાની છે. રૂપા ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં ખુબ હંગામો થવાનો છે.

કાવ્યા પોતાના લગ્નના દિવસે ખુબ ઉત્સાહમાં રહેશે અને પંડિતજી લગ્નની વિધિ પૂરી કરવા માટે ૪ વાગ્યાનું મુહૂર્ત કાઢશે. કાવ્યા ચાર કલાકે લગ્ન મંડપ પર પહોંચી જશે. ત્યાં પહોંચતા તેના હોંશ ઉડી જશે. લગ્નના મંડપ પર તેના અને રાખી સિવાય કોઈ હશે નહીં. રાખી કાવ્યાને કંઇક કહેશે અને કાવ્યા ગુસ્સાથી વનરાજને શોધવા લાગશે.

કાવ્યા વનરાજને દરેક જગ્યાએ શોધશે પણ તેને મળશે નહીં. ગુસ્સે થયેલી કાવ્યા વનરાજના પરિવારજનોને સંભળાવશે. ત્યારબાદ બા પણ કાવ્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે. અનુપમા પહેલાથી ડો. અદ્વૈત સાથે બહાર જતી રહેશે જેથી તે કાવ્યા અને વનરાજના લગ્નથી દૂર રહી શકે. લગ્ન મંડપ પર રોષે ભરાયેલી કાવ્યા વનરાજને વારંવાર ફોન કરશે પણ તે ફોન રિસીવ કરશે નહીં.

તેવામાં કાવ્યા અનુપમાને ફોન કરી ધમકી આપવાનું શરૂ કરશે. કાવ્યા ખુબ તમાશો કરશે અને અનુપમાના પુત્ર પર હાથ ઉઠાવશે. અનુપમા આ બધુ સહન કરશે નહીં અને કાવ્યાને લગ્નનો મંડપ ઉખાડી ફેંકી દેવાની વાત કહેશે. અનુપમાનો ગુસ્સો જાેઈ બધા ચોંકી જવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.