Western Times News

Gujarati News

કોરોનાથી પતિનું મોત થતાં દુઃખી પત્નીએ છત પરથી કૂદી જીવન ટૂંકાવ્યું

સુલ્તાનપુર: ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં સવારે શહેરના કોટવાલીનગર સ્થિત પંજાબી કોલોની મહોલ્લામાં એક મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી અને છત પરથી છલાંગ લગાવી જીવનદીપ બુઝાવી દીધો. પતિના વિરહને સહન નહીં કરી શકતાં પત્નીએ આ આકરું પગલું ભર્યું હતું. આનન-ફાનનમાં સ્થાનિક લોકો મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મહિલાનો પતિ એક મહિના અગાઉ કોરોનાને લીધે મૃત્યુ પામતાં મહિલા ડિપ્રેશનનો ભોગ બની હતી.

મળતી માહિતી પ્રમાણે, કોટવાલીનગરના પંજાબી કોલોનીમાં રહેતા બલવિંદર ઉર્ફે રોજી બગ્ગાએ સવારે જ્વલનશીલ પદાર્થથી પોતાની જાતને આગ લગાવી દીધી હતી. જ્યારે તે આગની જ્વાળામાં લપેટાઈ ગઈ તો તે ઘરની છત પર જઈ ત્યાંથી છલાંગ લગાવી લીધી. આ ભયાનક દૃશ્ય જાેઈ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ગમે તેમ કરીને આગ ઓલવી હતી તથા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જાેકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જિલ્લા હોસ્પિટલના ઈમર્જન્સી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

મૃતક બલવિંદર ઉર્ફે બગ્ગાના પતિ અમરજિત બગ્ગા તેમના દાંપત્ય જીવનમાં ઘણા ખુશ હતા, પણ કોરોના મહામારીને પગલે એપ્રિલ મહિનામાં અમરજિત સંક્રમિત થયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જાેકે સ્વાસ્થ્ય બગડતાં લખનઉમાં રિફર કર્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પતિના મોત બાદ રોજી બગ્ગા ડિપ્રેશનમાં જતી રહી હતી.

મૃતકને બે દીકરી જસપ્રીત અને જનપ્રીત છે. જસપ્રીતની બે વર્ષ અગાઉ કાનપુરમાં લગ્ન થયા હતા. પિતાના અવસાન બાદ દીકરી ઘરે આવી હતી અને થોડા દિવસો બાદ નાની બહેનને સાથે લઈ કાનપુર જતી રહી હતી. ત્યાર બાદ મહિલા ઘરમાં એકલી જ રહેતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.