Western Times News

Gujarati News

નર્સિંગ સ્ટાફની હડતાળની ચિમકીથી સરકાર ચિંતિત

પ્રતિકાત્મક

અમદાવાદ: રાજ્યમાં નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે ભથ્થું, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દાને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર નર્સિંગ સ્ટાફ ઉતરવા માટે તૈયારી બતાવી છે. આગામી ૧૪મી જૂથીથી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ આ હડતાળમાં જાેડાશે. જેમાં ૧૮ હજારથી વધુ નર્સ અને નર્સિંગના વિદ્યાર્થીઓ આ હડતાળમાં ભાગ લેશે. મહત્વનું છે કે નર્સિંગ સ્ટાફે પગાર ભથ્થું, સ્ટાઈપેન્ડ સહિત વિવિધા મુદ્દાઓ પર સરકારને ૨૫મી મે એ રજૂઆત કરી હતી

પરતું હજુ સુધી એક પણ માંગણી માટે લેખિતમાં ર્નિણય ન કરાતા અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ ૧૪મી જૂનથી અચોકકસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. હાલ રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો શરૂ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે. યુનાઈટેડ નર્સિસ ફોરમની ગઈ કાલે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી

જેમાં સરકાર સામે ફરી એકવાર ફરી આંદોલન શરૂ કરવાની માંગ કરાઈ હતી. ઉચ્ચતર પગાર ધોરણ, ગ્રેડ પે, વિવિધ પ્રકારના એલાઉન્સિસ તેમજ નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સીગ ફોર્મ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામા આવી રહી હતી ત્યારે સરકારે કોઈ ર્નિણય ન કરતા ગત મહિને નર્સિંગ સ્ટાફ હડતાળ પર બેઠો હતો પરંતુ કોરોનાના કેસ વધવા સાથે દર્દીઓ હોસ્પિટલોમા વધુ હોવાથી અને વાવાઝોડુ પણ હોવાથી સરકારે નર્સિંગ એસો.ના હોદ્દેદારોને સમજાવ્યા હતા જે બાદ હડતાળ મોકુફ કરી દેવાઈ હતી. યુનાઈટેડ નર્સિંગ ફોરમના સેક્રેટરીએ જણાવ્યું કે સરકારે અમારી સાથે વાત કરતા અમને માનવતાના ધોરણે હડતાળ મોકુફ કરી હતી

ત્યારબાદ ૨૫મી મેની બેઠકમાં તમામ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને સરકાર તરફથી મોટા ભાગની માંગણી બાબતે હકારાત્મક વલણ સાથે લાભો આપવાની ખાત્રી આપવામા આવી હતી.જાે કે દસ દિવસ બાદ પણ સરકાર તરફથી કોઈ પણ માંગણી બાબતે લેખિત ર્નિણય ન કરાતા નર્સિંગ એસો.એશને હડતાની ચીમકી ઉચ્ચારી છે. યુનાઈટેડ નર્સિંગ ફોરમ નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય થતા હોવાનું જણાવી રહ્યું છે. સરકારે સરકારી કોલેજ મેડિકલ ટીચર્સ, જીએમઈઆરએસ ટીચર્સ તેમજ જીએમઈઆરએસ નર્સિંગ સ્ટાફ ઉપરાંત રેસિેડન્ટ ડોક્ટરો ઉપરાંત ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી-ફિઝિયોથેરાપી માટે પણ માંગણીઓ સ્વીકારી તેઓને લાભ આપ્યા છે .

માત્ર નર્સિંગ સ્ટાફને કોઈ લાભ અપાતો નથી અને નર્સિંગ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી.જેથી હવેના છુટકે ૧૪મીથી ઓચોક્કસ મુદતની હડતાળ પાડવામા આવશે. જેમાં અમદાવાદ સિવલ સહિતની રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને જીએનએમ-એએનએમ નર્સિંગ સ્ટાફ સહિત ૧૮ હજારથી વધુ નર્સ જાેડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.