Western Times News

Gujarati News

આદિત્યનું ટ્રાન્સફોર્મેશન જાેઈ ચાહકો ચોંકી ગયા

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ હોસ્ટ કરી રહેલો સિંગર આદિત્ય નારાયણ ૨ મહિના પહેલા કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેની તબિયત બગડી હતી. આદિત્ય નારાયણનું વજન વધી ગયું હતું અને તેની ફાંદ નીકળી આવી હતી. પણ, હવે આદિત્ય નારાયણ ફિટ અને પરફેક્ટ લૂકમાં જાેવા મળી રહ્યો છે. આદિત્ય નારાયણે પોતાનું બૉડી ટ્રાન્સફોર્મેશન દેખાડવા માટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કુલ ૨ ફોટોગ્રાફ શેર કર્યા છે.

જે પૈકી એક ફોટોગ્રાફમાં આદિત્ય નારાયણની ફાંદ નીકળેલી જાેવા મળી રહી છે. જે એપ્રિલની વાત છે કે જ્યારે આદિત્ય નારાયણ કોરોના સંક્રમિત થયો હતો અને હોમ ક્વોરન્ટિન હતો. જ્યારે બીજા ફોટોગ્રાફમાં કોરોનામાંથી સાજા થયા પછી આદિત્ય નારાયણે વજન ઉતારી દીધું છે. સિંગર આદિત્ય નારાયણના આ ટ્રાન્સફોર્મેશનને જાેઈને તેના ફેન્સની સાથે-સાથે સેલેબ્સ પણ ચોંકી ગયા છે.

આદિત્ય નારાયણના આ લૂકની પ્રશંસા કરતી એક્ટર વિક્રાંત મેસીએ કોમેન્ટ કરી છે. આદિત્ય નારાયણના ફેન્સ પણ આશ્ચર્યમાં છે કે આખરે ૨ મહિનામાં આદિત્ય નારાયણે ફાંદ ઘટાડીને વજન કેવી રીતે ઉતાર્યું? અહીં તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમિત થયા પછી આદિત્ય નારાયણની તબિયત બગડી હતી. આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે તેના શરીરના કેટલાંક ભાગોમાં વધુ પીડાનો અનુભવ થતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આદિત્ય નારાયણે તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.