Western Times News

Gujarati News

રાજકુમાર અને નાના સેટ પર ક્યારેય વાત કરતા ન હતા

શરૂથઆતમાં નાના એ કોમર્શિયલ ફિલ્મ હોવાનું કહીને તેમાં કામ કરવાની ના પાડી દીધી, શરતો સાથે કામ કર્યું

મુંબઈ: ૧૯૯૩માં આવેલી ફિલ્મ તિરંગામાં બોલીવુડના બે દિગ્ગજ કલાકારો એક સાથે જાેવા મળ્યા હતા. પોતાના ડાયલોગ અને અભિનયમાં છલકતા રુતબા માટે જાણીતા દિવંગત અભિનેતા રાજકુમારની સાથે દિગ્ગજ કલાકાર નાના પાટેકરે આ ફિલ્મમાં કામ કર્યું હતું. દેશપ્રેમ પર બનેલી તિરંગા ફિલ્મે એ સમયે ચાહકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો હતો, પરંતુ આ ફિલ્મમાં રાજકુમાર અને નાના પાટેકર એમ બંને દિગ્ગજ કલાકારોને એક સાથે અભિનય માટે રાજી કરવા કપરુ કામ હતું. જાેકે નાના પાટેકરે આ ફિલ્મની ઓફર મળતાં જ ના પાડી દીધી હતી,

નાના પાટેકરનું કહેવું હતું કે તે કોમર્શિયલ મુવી નથી કરતા. પરંતુ ફિલ્મના ડાયરેક્ટર મેહુલ કુમારે ફરીવાર એપ્રોચ કરતા તેમને મનાવ્યા અને સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ નાના પાટેકરે તિરંગા માટે હા પાડી હતી. જાેકે આ ફિલ્મ માટે હા પાડતાં પહેલા નાના પાટેકરે ડાયરેક્ટર સામે એક ખાસ શરત મૂકી હતી કે જાે રાજ કુમાર દખલગીરી કરશે તો તેઓ ફિલ્મ છોડી દેશે.

જે પછી ડાયરેક્ટર મેહુલ કુમારે નાનાને ભરોસો અપાવ્યો હતો કે રાજ કુમાર ફિલ્મ શૂટિંગ દરમિયાન દખલગીરી નહીં કરે. એક ઇન્ટરવ્યુમાં મેહુલ કુમારે જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન સેટ પર કોઇ ટેન્શન થયું ન હતું કારણ કે રાજ કુમાર અને નાના પાટેકર જ્યારે પણ આમને-સામને આવતાં ત્યારે એકબીજા સાથે વાત ન હોતા કરતા. જાેકે ફિલ્મમાં એક ગીતના સેટ પર બંને દિગજ્જાે વચ્ચે મિત્રતા થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.