Western Times News

Gujarati News

કોરોનાથી થયેલા મોત પર વળતર સરકાર આપે : સુપ્રીમ કોર્ટનો આદેશ

Files Photo

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ ર્નિણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારને વળતર આપવું જાેઈએ.

સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ ર્નિણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારને વળતર આપવું જાેઈએ. જાે કે આ વળતર કેટલું હોવું જાેઈએ તે સરકારે પોતે નક્કી કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, કોરોના પીડિતોનાં પરિવારને વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પીડિતોને કેટલી રકમ આપવી તે નક્કી કરશે. માર્ગદર્શિકા ૬ અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે કોવિડનાં મોત પર ચાર લાખ રૂપિયા વળતર આપવાના આદેશને નકારી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ માટે સરકારને વળતરની અમુક રકમ ચૂકવવાનો આદેશ આપવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેને પણ નકારી શકાય નહીં કે, જાે રૂ. ૪ લાખનું વળતર આપવામાં આવે તો સરકારને આર્થિક મુશ્કેલી પડી શકે છે.

આપને જણાવી દઈએ કે, આ કિસ્સામાં, ઘણા અરજદારો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયા વળતર મળવું જાેઈએ. આ ઉપરાંત અરજદારે કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે પણ અરજીમાં સવાલો ઉભા કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.