Western Times News

Gujarati News

બાપુનગરમાં વૃધ્ધાએ શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક વૃધ્ધાએ શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહયું છે આ ઉપરાંત શહેરમાં આપઘાતના વધુ ત્રણ બનાવો બન્યા છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં સુર્યનગરના છાપરામાં રહેતી મોનીકા શંકરભાઈ મીણા નામની યુવતિએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનું કારણ જાણવા આનંદનગર પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ સમગ્ર ઘટનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર ડી.બી. રવીયા ચલાવી રહયા છે.

આત્મહત્યાનો બીજા બનાવ પાલડી વિસ્તારમાં બન્યો હતો જેમાં શારદા સોસાયટી નજીક આવેલા નવકાર ફલેટમાં રહેતા હીનાબહેન હિરેનભાઈ ત્રિવેદી નામની મહિલાએ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.

આ અંગે પાલડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પદ્યુમનસિંહ વધુ તપાસ કરી રહયા છે. આત્મહત્યાનો ત્રીજા બનાવ ગોમતીપુર વિસ્તારમાં બન્યો છે જેમાં મદની મહોલ્લામાં રહેતા મોઈનશેખ નામના ર૪ વર્ષના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા સ્થાનિક નાગરિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતનું કારણ જાણવા માટે ગોમતીપુર પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ કારણ જાણવા મળ્યું નથી.

શહેરના બાપુનગર વિસ્તારમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના ઘટી છે બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા આમ્રપાલી ફલેટમાં રહેતા રૂખીબેન હેમચંદભાઈ પંચાલ નામના ૮૭ વર્ષના વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા અને તેઓની દવા પણ ચાલતી હતી બીમારીથી કંટાળી તેમણે પોતાના ઘરમાં જ શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા તેઓ આખા શરીરે દાઝી ગયા હતા પરિવારજનો તેમને ગંભીર હાલતમાં શારદાબેન  હોસ્પિટલમાં   લઈ ગયા હતા

જયાં ગંભીર હાલતમાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું બાપુનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.