Western Times News

Gujarati News

વસ્ત્રાપુરઃ કારીગર દુકાનમાંથી પચાસ હજાર રોકડ લઈ ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ, પોલીસની નિષ્ક્રીયતાને પગલે ચોરો અને તસ્કરો બેફામ બન્યા છે અને શહેરના મોટાભાગના વિસ્તારોને ટાર્ગેટ કરી રહયા છે વસ્ત્રાપુરમાં પણ એક દુકાનમાંથી પચાસ હજાર રોકડની ચોરીની ફરીયાદ નોંધાઈ છે.

દેવ અનિલભાઈ રાજપુત (બોપલ) જજીસ રોડ ખાતે ચોઈસ પાન પાર્લર નામે દુકાન ધરાવે છે રવિવારે રાત્રે તે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સીવારે તેમને ઈમરાનભાઈનો ફોન આવ્યો હતો કે તમારી દુકાન હજુ બંધ કેમ છે જેથી તેમણે દુકાન સંભાળતા રમેશ સોમા પરમાર (રહે. ગણેશનગર, વાસણા) નો સંપર્ક સાધ્યો હતો જાકે તે થઈ ન શકતા પોતે પાર્લર પર પહોચ્યા હતા અને તપાસ કરતા દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂપિયા પચાસ હજારની રકમ ગાયબ હતી સીસીટીવી કેમેરા તપાસતા આશરે આઠ વાગ્યે આવેલો રમેશ રોકડ રકમ લઈ જતાં દેખાયો હતો જેથી દેવભાઈએ દુકાનના કારીગર રમેશ વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.