Western Times News

Gujarati News

દિવ્યાંકા અને વિવેકની પેટ્રોલ પંપના કર્મચારી સાથે બોલાચાલી થઈ

મુંબઈ: ટીવીના લોકપ્રિય કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે. આ કપલે તેની ઉજવણી કરવા માટે રોડ ટ્રિપ પર જવાનો ર્નિણય કર્યો હતો. તેમણે વાયા ગુજરાત, રાજસ્થાન, દિલ્હી થઈને પોતાના હોમટાઉન ચંદીગઢ જવાનો ર્નિણય કર્યો હતો. જાેકે, અમદાવાદમાં તેમની સાથે મોટો દાવ થઈ ગયો હતો અને તેમની આ ટ્રિપના રંગમાં ભંગ પડ્યો હતો.

આ કપલને અમદાવાદમાં રોડ બ્લોકનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદના એક પેટ્રોલ પંપ પર ફસાઈ ગયા હતા કેમ કે તેમને ભેળસેળ વાળુ ડિઝલ આપવામાં આવ્યું હતું. વિવેકે જણાવ્યું હતું કે, તેઓ સોમવારે ઉદયપુર જવા રવાના થવાના હતા પરંતુ ભેળસેળ યુક્ત ડિઝલના કારણે તેમની કાર ખરાબ થઈ ગઈ હતી. દિવ્યાંકાએ કહ્યું હતું

અમે પેટ્રોલ પંપ પર છ કલાક ફસાયેલા રહ્યા હતા કેમ કે ત્યાં હાજર કર્મચારીઓ સાથે અમારી બોલાચાલી થઈ હતી. જાેકે, ત્યાં હાજર લોકો અને અમારા પ્રશંસકો અમારા સમર્થનમાં આવ્યા હતા અને અમારી સાથે ઊભા રહ્યા હતા. તેણ કહ્યું હતું કે, હું તે પેટ્રોલ પંપના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું વિચારી રહી છું. જાેકે, હું કેસ કરું તો મારે વારંવાર હાજર રહેવું પડશે. તેથી હું હજી વિચારી રહી છું કે આ મામલે કેવી રીતે આગળ વધી શકાય. દિવ્યાંકાએ પોતાનો સાથ આપવા માટે પોતાના પ્રશંસકોનો આભાર માન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.