Western Times News

Gujarati News

પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ માટે કમિટી બનશે

નવી દિલ્હી, પેગાસસ જાસૂસી મામલાની તપાસ હવે એક કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. કમિટી બનાવવાની જાહેરાત સાથે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસથી જાસૂસીના આરોપોને નકાર્યા. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી બે પેજની એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સોગંદનામા મુજબ સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે.

અત્રે જણાવવાનું કે આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કેન્દ્ર સરકારે તેના પર લાગેલા તમામ આરોપ નકાર્યા. કેન્દ્રએ આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી. જે બે પાનાની હતી. કેન્દ્રએ કહ્યું કે તેમના તરફથી કોઈ જાસૂસી કે ગેરકાયદેસર નિગરાણી કરાવવામાં આવી નથી.

સોગંદનામામાં સરકારે વરિષ્ઠ પત્રકાર એન રામ અને અન્ય અરજીકર્તાઓએ લગાવેલા આરોપોને ફગાવી દીધા. તેમની અરજીમાં આરોપ હતા કે સૈનિક પ્રયોગના આ સોફ્ટવેરનો ઉપયોગ સરકારે પત્રકારો, રાજનેતાઓ, એક્ટિવિસ્ટ, નોકરશાહો, અને ન્યાયપાલિકા સંલગ્ન લોકોની જાસૂસી માટે કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.