Western Times News

Gujarati News

નર્મદા કિનારે મગર પશુપાલકને ઊંડા પાણીમાં ખેંચી જતાં મોત

File

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ ગામથી લઈ અશા પાણેથા સુધીના નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં મગરો રહે છે, અને ઘણી વખત મગરો દ્વારા પશુઓ તથા માણસો પર હુમલો થવાની ઘટનાઓ બનતી રહે છે.નર્મદા નદીના વિસ્તારમાં મગરોથી સાવચેત રહેવા બાબતે વનવિભાગ દ્વારા નર્મદા કિનારા પર ઠેરઠેર સાવચેતીના બોર્ડ પણ લગાવ્યા છે.

આજરોજ ઝઘડિયા તાલુકાના લીંમોદરા ગામના પશુપાલકને મગર ખેંચી ગયો હોવાની ઘટના બની છે, જેમાં પશુપાલક નું મોત થવા પામ્યું છે. ઝઘડિયા તાલુકાના લીંમોદરા ગામે રબારી ફળિયામાં રહેતા રામજીભાઈ માનસંગભાઈ રબારી ઉં.વ.૫૨ જેઓ પશુપાલન તથા મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આજે સવારે તેઓ પશુ ચરાવવા માટે લાડવાવડ નર્મદા નદી કિનારા તરફ ગયા હતા તે દરમિયાન રામજીભાઈ ને મગર નર્મદાના ઉડા પાણીમાં ખેંચી ગયો હોય તેઓએ બચાવો-બચાવોની બૂમ પાડતા હતા તે દરમિયાન તેમના નજીકના સંબંધી નાઓ સામે કિનારે હોય બચાવો – બચાવોની બૂમો સાંભળી તેમને બચાવવા માટે તેમની સાથેના રમેશભાઈ દોડી આવેલા પરંતુ મગર તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.

રામજીભાઈ ને મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે લિમોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં થતાં લાડવાવડ નર્મદા કિનારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિક તરવૈયાઓએ રામજીભાઈ ની શોધખોળ ચલાવી હતી.દોઢ બે કલાકની ભારે જહેમત બાદ રામજીભાઈની લાશ ઊંડા પાણીમાંથી તરવૈયાઓએ શોધી કાઢી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.