Western Times News

Gujarati News

તાલિબાન સાથે સંબંધિત કોઈ પણ સમાચારને મુસ્લીમ પર્સનલ લો બોર્ડ સાથે જોડવા જોઈએ નહીં

મુંબઇ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન અંગે જે રીતે નિવેદનો આપ્યા છે તેનાથી આશ્ચર્ય થયું છે. જાવેદ અખ્તરે કહ્યું કે આ આઘાતજનક છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન વિશે ખુશી વ્યક્ત કરી છે કે તેઓએ અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું છે. બંને સભ્યોના આ વર્તન બાદ જાવેદ અખ્તરે બોર્ડને આ બાબતે પોતાનું સ્ટેન્ડ સાફ કરવા કહ્યું છે.

જાે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બંને સભ્યોના નિવેદનથી પોતાને દૂર રાખ્યું છે અને કહ્યું છે કે બંને સભ્યોએ વ્યક્તિગત રીતે આ નિવેદન આપ્યું છે, પરંતુ તેમ છતાં જાવેદ અખ્તરનું માનવું છે કે બોર્ડે આ મામલે કડક પ્રતિક્રિયા લેવી જાેઈએ. જાવેદ અખ્તરે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, “આ આઘાતજનક છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોએ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનનો કબજાે લેતા ખુશી વ્યક્ત કરી છે, જાે કે બોર્ડે તેમના નિવેદનને ખંડન કર્યું છે, પરંતુ આ પૂરતું નથી.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ બાબતે નિવેદન બહાર પાડ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે કેટલાક મીડિયા હાઉસોએ બોર્ડના સભ્યોના નિવેદનને મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું સ્ટેન્ડ ગણાવ્યું હતું જે પત્રકારત્વની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. મીડિયા ચેનલોએ આવા કૃત્યોથી દૂર રહેવું જાેઈએ અને તાલિબાન સાથે સંબંધિત કોઈ પણ સમાચારને બોર્ડ સાથે જાેડવા જાેઈએ નહીં. બોર્ડની સફાઈ આપ્યા બાદ પણ જાવેદ અખ્તર માને છે કે તેમણે વધુ મજબૂત પ્રતિક્રિયા આપવી જાેઈએ.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોના નિવેદન બાદ એક દિવસ પછી જાવેદ અખ્તરે આ મુદ્દે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. જણાવી દઈએ કે ઈન્ડિયન મુસ્લિમો ફોર સેક્યુલર ડેમોક્રેસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે વિશ્વમાં આવા કોઈ પણ શાસનના વિચારને ફગાવીએ છીએ જ્યાં માત્ર એક જ ધર્મ સત્તામાં છે. અમે ધાર્મિક રાજ્યના વિચારને નકારીએ છીએ.

આઇએમએસડીમાં કુલ ૧૨૮ સભ્યો છે, જેમાં જાવેદ અખ્તર અને તેની પત્ની શબાના આઝમી પણ સામેલ છે. તેના તમામ ૧૨૮ સભ્યોએ આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.એક વીડિયો સંદેશ દ્વારા બોર્ડના સભ્ય સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે ૧૫ ઓગસ્ટનો દિવસ ઈતિહાસના પાનાઓમાં નોંધવામાં આવ્યો છે. તાલિબાને વિજ્ઞાન અને હથિયારો વિના વિશ્વની સૌથી મોટી શક્તિને હરાવી છે. જે રીતે તાલિબાન લડવૈયાઓ કાબુલના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, તેમની તસવીર જાેઈને લાગે છે કે આ લોકોમાં કોઈ અભિમાન નથી, આ લોકો તેમની માટીને ચુંબન કરતા જાેવા મળ્યા હતા, આ લોકોએ ભગવાનનો આભાર માન્યો હતો. નોમાનીના નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો.

આ પહેલા સપા સાંસદ શફીકુર રહેમાન બર્કે પણ તાલિબાનની તુલના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કરી હતી. જે બાદ તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. વ્યક્તિગત અભિપ્રાયને બોર્ડના અભિપ્રાય ન માનો વ્યક્તિગત અભિપ્રાયને બોર્ડના અભિપ્રાય ન માનો નોમાનીના આ નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે બોર્ડે તાલિબાન અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર કોઈ ટિપ્પણી કરી નથી. બોર્ડના સભ્યએ જે કહ્યું તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે, આ અભિપ્રાયને બોર્ડના અભિપ્રાય તરીકે ન લેવા જાેઈએ. બોર્ડના સભ્યના વ્યક્તિગત અભિપ્રાયને બોર્ડને તેના અભિપ્રાય તરીકે જવાબદાર ગણાવી ન જાેઈએ. આ સાથે બોર્ડે મીડિયા ચેનલોને આવા કૃત્યોથી દૂર રહેવાની સૂચના પણ આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.