Western Times News

Gujarati News

ઓબીસી વર્ગમાં રાજ્યોને માત્ર આર્થિક આધારે ક્રીમી લેયર બનાવવાનો અધિકાર નહીંઃ સુપ્રીમ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોને માત્ર આર્થિક આધારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રીમી લેયર બનાવવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આર્થિક, સામાજિક અને અન્ય આધારો ક્રીમી લેયર બનાવી શકાય છે. એમ કહેતા સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારની ૨૦૧૬માં જારી એક અધિસૂચનાને ફગાવતા ક્રીમી લેયરને ફરીથી પરિભાષિત કરવા માટે કહ્યું છે.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને અનિરૂદ્‌ઘ બોસે એમ કહેતા હરિયામા સરકારની ૧૭ ઓગસ્ટ, ૨૦૧૬ની અધિસૂચનાને ફગાવી દીધી. તેમાં માત્ર આર્થિક આધારે ક્રીમી લેયર નિર્ધારિત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યં છે કે આ અધિસૂચના ઇંદ્રા સાહની મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ર્નિણય વિરૂદ્‌ઘ છે. ઇંદ્રા સાહની કેસમાં કોર્ટે આર્થિક, સામાજિક અને અન્ય આધારો પર ક્રીમી લેયર બનાવવા માટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે ઇંદ્રા સાહની કેસમાં નક્કી કરવામાં આવેલા માપદંડો છતાંય હરિયાણા સરકારે ૨૦૧૬ની પોતાની અધિસૂચનામાં માત્ર આર્થિક આધારે ક્રીમી લેયરને પરિભાષિત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમ કરી હરિયાણા રાજ્યએ મોટી ભૂલ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું છે કે માત્ર આ આધારે જ હરિયાણા સરકારની ૨૦૧૬ની અધિસૂચનાને ફગાવી શકાય છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને ત્રણ મહિનાની અંદર ઇંદ્રા સાહની કેસમાં નક્કી કરાયેલા સિદ્‌ઘાંતો અને ૨૦૧૬ના અધિનિયમની કલમ-૫ (૨)ના માપદંડોના આધારે ક્રીમી લેયરને પરિભાષિત કરવા માટે કહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.