Western Times News

Gujarati News

ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરાચોથના તહેવારની ધામધૂમથી ઉજવણી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વર્ષોથી ખત્રી સમાજ દ્વારા મનાવામાં કાજરા ચોથના ઉત્સવની પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.કાજરા ચોથ એ ખત્રી સમાજ નો સૌથી મોટો ઉત્સવ છે

જેની ઉજવણી અંગે પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામ દ્વારા તત્કાલીન દુષ્ટ અને અત્યાચારી ક્ષત્રિયનો અંત કરીને જગતને તેમનાં આતંકમાંથી મુક્ત કર્યા હતા.આ સમયે ક્ષત્રિયોની મહિલાઓ તેમજ ગર્ભવતી મહિલાઓ બીજા જ્ઞાતિના ઘરોમાં છુપાઈ , પોતાની તથા પોતાના ગભૅમાના બાળકની રક્ષા કરતી હતી.

જેથી ત્યાર પછી નો વંશ ક્ષત્રિય માથી ખત્રી તરીકે ઓળખાતો થયો અને પરશુરામના ક્રોધ થી બચવા ખત્રી સમાજ ભેગા થઈ માં હિંગળાજ ને વિનંતી કરી કે અમને પરશુરામ ના નરસંહારથી બચાવો ત્યારે મા હિંગળાજ પરશુરામ ને કહ્યું કે હવે આ મારા શરણે આવેલા છે જેથી તે મારા બાળકો છે

જેથી હવે તમે આ સંહાર નહીં કરો ત્યારે પરશુરામ ભગવાને કહ્યું કે તેમના શસ્ત્રો હથિયારો મને સોંપી દો ત્યારથી તેમને માના શરણે હથિયારો મૂકી દીધા હતા અને પરશુરામે ક્ષત્રિય લોકોનો સંહાર કરવાનું બંધ કરેલું.ત્યાર બાદ ખત્રી સમાજ શ્રી હિંગળાજ મા ને વિનંતી કરી કે અમારી આજીવિકા હવે રહી નથી જેથી કરીને અમને કોઈ આજીવિકા આપો

જેથી અમે અમારા પરિવારનું ભરણપોષણ કરી શકે ત્યારથી શ્રી મા હિંગળાજ ખત્રી સમાજને વણાટકામ નો ધંધો સોંપ્યો હતો જે ધંધાર્થી ખત્રી સમાજે વણાટકામ કરી પહેલી ચુંદડી બનાવી તે શ્રી મા હિંગળાજ ને ચઢાવી ત્યાર થી મા હિંગળાજ ના પ્રતિક રૂપે કાજરા નુ પ્રતિક બાજઠ ઉપર બનાવી ઉત્સવ ઉજવવામાં આવે છે.

તેમાં ચાર હાથ તરીકે ચાર લોટા અને મસ્તક તરીકે એક મોટો લોટો એમ પાંચ લોટા અને ચુંદડી ઓઢાડીને કાજરા નું પ્રતીક બનાવી તે પ્રતીક ત્રીજને દિવસે રાત્રે સમાજના વડીલો જાગરણ કરી બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.