Western Times News

Gujarati News

એકલતાથી કંટાળીને જ્વેલરી ડિઝાઈનર મહિલાનો આપઘાત

સુરત, શહેરના અડાજણ વિસ્તારમાં એકલી રહેતી એક જ્વેલરી ડિઝાઈનર મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, મહિલાએ આપઘાત કર્યાના છેક ત્રીજા દિવસે તેની જાણ પાડોશીઓને થઈ હતી. મૃતક જે ઘરમાં રહેતાં હતાં ત્યાંથી દુર્ઘંધ આવતી હોવાથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમ દરવાજાે તોડીને અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં મહિલાનો મૃતદેહ જાેઈને પોલીસને પણ આંચકો લાગ્યો હતો.

બોડીનો કબજાે લઈ પોલીસે તેને પીએમ માટે મોકલી આપી હતી. પાડોશીઓની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે જ્યોતિ બચાની નામની આ મહિલા ઘરમાં એકલી રહેતી હતી, અને વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર હતી. જ્યોતિના ૨૦૦૫માં દીપક નામના એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. જાેકે, બંનેએ પરસ્પરની સમજૂતીથી ૨૦૧૭માં છૂટાછેડા લઈ લીધા હતા.

પરંતુ ડિવોર્સ બાદ પણ જ્યોતિ અને દીપક એકબીજાના સંપર્કમાં હતાં. તેઓ ફોન પર વાત કરતાં હતાં અને ક્યારેક મળતાં પણ હતાં. જ્યોતિ એકલવાયા જીવનથી કંટાળી હોવાથી તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તે ડિપ્રેશનમાં હોવાની શક્યતા પણ પોલીસ નથી નકારી રહી. મૃતકે ચારેક દિવસ પહેલા જ જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસ માની રહી છે.

કારણકે, આટલા દિવસોથી તેમનો ઘરનો દરવાજાે બંધ હતો, અને બીજા કોઈની અવરજવર પણ નહોતી. જાેકે, બુધવારે ઘરમાંથી વાસ આવવાનું શરુ થતાં જ્યોતિની આસપાસ રહેતા લોકોને શંકા પડી હતી, અને તેમણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી.

પોલીસને મૃતકના ઘરની શોધખોળ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેમણે પોતાની તમામ મિલકત તેમજ રોકડ પોતાના પૂર્વ પતિ દીપકને આપી દેવા માટે જણાવ્યું હતું. મૃતકે પોતે લીધેલા અંતિમ પગલાં બદલ કોઈને જવાબદાર ઠેરવ્યા હોવાનું અત્યારસુધીની તપાસમાં બહાર નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે, ૧૨ વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સ લીધા પછી પણ જ્યોતિ અને દીપક એકબીજા સાથે સંપર્કમાં રહેતાં હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.