Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૪ કેસો નોંધાયા

Files Photo

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ૨-૫ કેસોનો વધારો ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૬ દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૬૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. સાંજ સુધીમાં ૪,૮૦,૪૧૦ વ્યક્તિઓને ડોઝ અપાયા હતા.

જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો ૧૪૬ કુલ કેસ છે. જે પૈકી ૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૪૧ સ્ટેબલ છે. ૮,૧૫,૨૬૨ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૨ નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી જે રાહતના સમાચાર કહી શકાય. વડોદરા કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશન ૩, સુરત ૨, અમદાવાદ કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં ૧-૧ કેસ આવ્યા છે.

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૮ ને પ્રથમ જ્યારે ૪૨૧૮ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૨૫૧૨ નાગરિકોને રસીનો પ્રથમ ૭૦૬૭૨ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧,૮૮,૩૭૦ ને રસીનો પ્રથમ જ્યારે ૧,૫૪,૬૨૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪,૮૦,૪૧૦ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૯૧,૦૩,૪૫૩ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.