શિમલામાં નેશનલ હાઈવે ૫ પર ભૂસ્ખલન થતા ટ્રાફિક જામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Shimla.jpg)
શિમલા, હિમાચલ પ્રદેશમાં આવેલ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલનનો થયું છે. હાઈવે નંબર ૫ પર આ ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. સવારના સમયે અહીયા એકાએક પહાડો પરથી કાટમાળ પડવાનો શરૂ થયો જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. સાથેજ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.
શિમલા જિલ્લામાં આવેલ રામપુર ઉપમંડલ પાસે આવેલ નેશનલ હાઈવે નંબર ૫ પર આ ભૂસ્ખલનનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર કાટમાળ પડવાને કારણે કિન્નોર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલાજ કિન્નોરમાં પણ એક ભૂસ્ખલનનો બનાવ બન્યો હતો. ત્યારે પણ આજ રીતે પહાડો પરથી કાટમાળ પડ્યો હતો જેમા ઘણા લોકો ફસાઈ ગયા હતા. આ ઘટના ઓગસ્ટ મહિનાના શરૂઆતમાંજ ઘટી હતી અને ફરી એક મહિનામાં ફરી અહીયા ભૂસ્ખલનનો મામલો સામે આવ્યો છે.
અગાઉ જ્યારે ભૂસ્ખલન થયું હતું ત્યારે તે ઘટનામાં કુલ ૨૫ લોકોના મોત થયા હતા. જાેકે આ વખતે જે ભૂસ્ખલનની ઘટના બની છે. તેમા જાનમાલને નુકશાન થયું હોય તેવી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ રસ્તા પર ભારે માત્રામાં કાટમાળ પડવાને કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે ત્યા ભારે ટ્રાફિક જાય સર્જાયો છે.HS