Western Times News

Gujarati News

નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા

કાઠમંડુ, નેપાળના પૂર્વ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે પીએમ નરેન્દ્ર મોદીના વિશેષ દૂત એસ જયશંકરે નેપાળની પોલિટિકલ લીડરશિપને ધમકી આપી હતી કે તેઓ પોતાના બંધારણની જાહેરાત ના કરે. કેપી શર્માએ એ પણ કહ્યુ કે એવુ કહેવામાં આવ્યુ હતુ કે જો સંવિધાનને ભારતના સૂચનો વિરૂદ્ધ બનાવવામાં આવે તો તેને અપનાવવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે નેપાળની બંધારણ સભાએ પોતાનુ નવુ બંધારણ જાહેર કર્યુ હતુ. આ બંધારણને સપ્ટેમ્બર 2015માં પહેલીવાર ચૂંટાયેલા પ્રતિનિધિ નિકાય દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે આ બંધારણ વિરૂદ્ધ ભારતથી નજીક દક્ષિણ નેપાળના જિલ્લામાં ઘણુ વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યુ હતુ.

કેપી શર્મા ઓલીએ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-યુએમએલની સ્થાયી સમિતિને કેટલીક રાજનીતિક દસ્તાવેજના સેટ મોકલ્યા હતા. આ દસ્તાવેજોમાં તેમણે એ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે 19 સપ્ટેમ્બરે આ ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા અને આ દિવસે નેપાળે પોતાનો સાતમો સંવિધાન દિવસ મનાવ્યો હતો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તત્કાલીન વિદેશ સચિવ જયશંકરે કાઠમાંડુનો પ્રવાસ કર્યો હતો અને પુષ્પા કમલ દહલ પ્રચંડ સહિત કેટલાક રાજકીય દળના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે આ બંધારણમાં તેમની ચિંતાઓને દૂર કરવામાં આવી નથી અને આ બંધારણની ડ્રાફ્ટિંગ બાદથી જ નેપાળ સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યુ છે કે આને ના અપનાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.